અમરેલીમાં માતાએ 3 બાળકો સાથે કુવામાં ઝંપલાવી લેતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મહિલાએ પોતાના બાળકો સાથે રાજુલાના વિસળિયા નેસડી સીમમાં આપઘાત કર્યો હતો. માતાએ 3 બાળકો સાથે કુવામાં મોતની છલાંક લગાવતા આ અંતિમ પગલુ કેમ ભર્યુ તેના વિશે તર્કવિતર્ક વહેતા થયા હતા. ત્રણ માસૂમ બાળકો સાથે આપઘાત કરી લેતા તેમના મૃતદેહ જોઈને આખુ ગામ હિબકે ચઢ્યુ હતુ.
ઘર કંકાસમાં પગલુ ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ
MLA અંબરીશ ડેર અને હિરા સોલંકી ઘટનાસ્થળે
ASP કુશલ ઓઝા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે
અમરેલીમાં માતાએ 3 માસૂમો સાથે કૂવો પૂરતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા હતા કે, એવું તે શું દુખ પડ્યુ કે 3 માસૂમ બાળકો સાથે કુવો પૂર્યો?
અમરેલીમાં માતાએ 3 બાળકો સાથે કુવામાં જંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે.રાજુલાના વિસળિયા નેસડી સીમમાં મહિલાએ પોતાના 3 બાળકો સાથે આપઘાત કર્યો છે.માતાએ 3 બાળકો સાથે કુવામાં ઝંપલાવતા અનેક ચર્ચામાં આવ્યાં છે.
મૃતદેહોને પીએમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.ઘર કંકાસમાં પગલુ ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.ત્યારે MLA અંબરીશ ડેર અને હિરા સોલંકી ઘટનાસ્થળે પહોચ્યાં છે.