ભાવનગરના ભરતનગર નજીક ઇલેક્ટ્રિક કરંટ લાગતા માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો છે.
ભાવનગરમા વીજ કરંટ લાગતા માતા-દીકરાનું મૃત્યુ
ભરતનગર નજીક યોગેશ્વર સોસાયટીમાં બની ઘટના
PGVCLની બેદરકારીને કારણે દુર્ઘટના થયાના આક્ષેપ
ભાવનગરમાં PGVCLની બેદરકારીને લઈને માતા અને દિકરો મોતના મુખમાં ધકેલાતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું. ભરતનગર નજીકના યોગેશ્વર સોસાયટીની આ દુર્ઘટનાને લઇને પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. મૃતકના ઘર નજીક આવેલ વીજપોલથી અર્થિંગ આવતુ હોવાની ફરિયાદ અનેક વખત કરવામાં આવી હતી. છતાં PGVCL ના અધિકારીઓએ કાર્યવાહી ન કરતાં પરિજનોમાં રોષ ફેલાયો છે.
PGVCLની બેદરકારીને કારણે દુર્ઘટના થયાના આક્ષેપ
યોગેશ્વર સોસાયટીમાં રહેતા માતા દાદરા ઉતરતા હતા એ વેળાએ અર્થીગને લઈને બંનેને જોરદાર ઇલેક્ટ્રિકટ કરંટ લાગ્યો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક લોકોના ટોળેટોળે એકઠા થઇ ગયા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ માતા અને પુત્રનું મૃત્યુ થયું હતું. આથી પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. બીજી તરફ PGVCLની બેદરકારીને કારણે દુર્ઘટના થઇ હોવાના આક્ષેપ પરિજનોએ કર્યા હતા.
કડમાળ ગામના આદીવાસી ખેડૂતનું વીજળી પડતા મૃત્યુ
બીજી તરફ હવામાન વિભાગના આગાહી મુજબ ડાંગના સુબીર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ભાદરવામાં ભરપૂરની માફક તોફાની વરસાદે અનેક સ્થળોએ તારાજી પણ વેરી હતી. જેમાં જિલ્લામાં અનેક સ્થળોએ વીજળી પડવાની ઘટના બની હતી. તેવામાં કડમાળ ગામના આદિવાસી ખેડૂતનું મોત નીપજ્યું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે અવકાશી વીજળી ત્રાટકતા ખેડૂતનું મોત નીપજ્યું હતું.