વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી રાખવામાં આવતા કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ સરદાર સાહેબનું નહીં પણ ગુજરાતનું અપમાન છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભાજપનો સત્તાના અહંકારમાં ઇતિહાસ નષ્ટ કરવાનો પ્રયાસ છે અને આ સરદાર સાહેબનું નહીં પણ ગુજરાતનું અપમાન છે.
આ હરકતને ગુજરાત સહન નહીં કરે
આ સાથે જ તેમણે વધુમાં લખ્યું કે, કોંગ્રેસના સમયમાં સ્ટેડિયમનુ નામ સરદાર સાહેબ સાથે જોડાયું હતું અને આ હરકતને ગુજરાત સહન નહીં કરે.
कोंग्रेस के समय अमदावाद क्रिकेट स्टेडियम का नाम सरदार साहब के नाम से जोड़ा था, जिसे अब बदलकर नरेंद्र मोदी स्टेडियम नाम करने की गुस्ताखी गुजरात बर्दाश्त नही करेगा।
ये सरदार साहब का ही अपमान नही गुजरात का अपमान है , सत्ता के अहंकार में भाजपावाले इतिहास मिटाने का प्रयास कर रहे है। pic.twitter.com/pU2ElYSxYN
આ પ્રસંગ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એંકલેવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે સાથે નારણપુરામાં એક સ્પોટ્સ કોમ્પ્લેકસ પણ ઊભું કરવામાં આવશે. આમ આ ત્રણ કોમ્પલેક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ કરવામાં આવશે. આ સાથે જ અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હંમેશા કહેતા હતા કે ગુજરાતીઓએ સ્પોર્ટ્સ અને સેનામાં હવે પ્રગતિ કરવી જોઈએ. તેમણે GCAનો ચાર્જ સંભાળ્યો અને તે બાદ રાજ્યમાં રમત ગમતને પ્રોત્સાહન આપ્યું. તેમનું જ આ વિઝન હતું કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અહિયાં બનાવવામાં આવે. આ સ્ટેડિયમના નિર્માણની ઘટના ભારત માટે ઐતિહાસિક છે.
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હવે 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અને ગુજરાત માટે ગૌરવ સમાન સૌથી મોટા સ્ટેડિયમને આજે વડાપ્રધાન મોદીનું નામ આપી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ આજે આ નવા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું છે જેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં આજે ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુ તથા BCCIના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન
આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટેરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ અને રમતગમત મંત્રી કિરેન રિજિજુ પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીથી જ મોટેરામાં ડે-નાઈટ ટેસ્ટ મેચની શરૂઆત થવા જઈ રહી છે જેને લઈને અમદાવાદીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શું છે સ્ટેડિયમની ખાસિયત?
800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે
સ્ટેડિયમમાં કુલ 1.10 લાખ લોકો સાથે મેચ જોઇ શકે છે
જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે
મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા
મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી
મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર
આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું
વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે છે
ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે