ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોનાં મોત થયા છે. શરૂઆતમાં કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ એક રિપોર્ટ મુજબ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) મુજબ, દર વર્ષે વિશ્વમાં નોંધાયેલા ટીબી રોગના કુલ કેસમાંથી એક તૃતીયાંશ કેસ ભારતમાં હોય છે. ભારતમાં દર વર્ષે 4,80,000 લોકો ટીબીને કારણે મૃત્યુ પામે છે.
ભારતમાં કોરોનાથી વધુ ખતરનાક છે બીમારી
ભારતમાં દર વર્ષે 480,000 લોકો ટીબીને કારણે મૃત્યુ પામે છે
આ આંકડાઓ ખૂબ જ આશ્ચર્યજનક છે
આ આંકડાઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે. ભારત સરકારના અનુમાન મુજબ, ટીબીને કારણે ભારતમાં દરરોજ 1,300 મૃત્યુ થાય છે. જોકે, ભારતમાં છેલ્લા ઘણાં વર્ષોથી ટીબીની સારવાર સતત મળી રહી છે, પરંતુ હજી પણ આ રોગ માટે કોઈ નિશ્ચિત ઇલાજ મળ્યો નથી.
તમને જણાવી દઈએ કે, આ આંકડો ભારતમાં કોરોના વાયરસ આવ્યો એ પહેલાંનો છે. જો આપણે સરકારી ડેટા પર નજર કરીએ તો, એ વાત સામે આવે છે કે, જ્યારે કોરોના આવ્યો છે, ત્યારથી ટીબીના દર્દીઓની રિપોર્ટિંગમાં તીવ્ર ઘટાડો થયો છે. આ અંગે બિહારના ચીફ ટીબી ઓફિસર ડો. કે.એન. સહાયે જણાવ્યું કે, કોરોના આવ્યા બાદ આરોગ્ય વિભાગનું સંપૂર્ણ ધ્યાન કોવિડ-19ના નિદાનમાં લાગી ગયું હતું. સ્ટાફનો પણ અભાવ હતો. છેલ્લા કેટલાક મહિનામાં તેમને કોવિડ કેર સેન્ટર અને હોમ ટૂ હોમ સેમ્પલ કલેક્શન વગેરેમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, માત્ર સરકારી હોસ્પિટલ જ નહીં પરંતુ તમામ પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ ટીબી ક્લિનિક્સ બંધ છે. આ બધી બાબતોએ કારણે ટીબીના કેસની નોટિફિકેશનમાં 30 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે, જે ચિંતાજનક છે.
એપિડોમિયોલોજી એન્ડ ગ્લોબલ હેલ્થમાં કેનેડા રિસર્ચ અધ્યક્ષ અને મેકગિલ ઇન્ટરનેશનલ ટીબી સેન્ટરના ચીફ ડોક્ટર મધુ પાઈ આ અંગે કેસ સ્ટડી કરી રહ્યાં છે અને તેમનું કહેવું છે કે, દેશમાંથી ટીબીને નાબૂદ કરવાનું લક્ષ્ય પાંચ વર્ષ આગળ વધી શકે છે.