ભારે વરસાદના કારણે સુરતમાં મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે. માર્ગ માટે મનપાએ 800 કરોડનો ખર્ચ કર્યો છે. અને રિપેરિંગ પાછળ પણ 250 કરોડ રૂપિયા ખર્ચાય છે. ત્યારે આટલો ખર્ચ છતાં પણ શહેરના 40 જેટલા મુખ્યમાર્ગ બિસ્માર બન્યા છે. જેને લઇ હાલ તમામ રસ્તાનો સર્વે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયો છે. અને લાયબલિટી પિરિયડ બાકી હોવાના કારણે કોન્ટ્રાક્ટર પાસે રિપેરિંગ કરાવામાં આવશે.