સરકાર દ્વારા રોકડ રકમ કાઢવા પર TDS લગાવવાની જાહેરાત કરાઈ છે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સોમવારથી 2 દિવસ સુધી રાજ્યના મોટાભાગના માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ
TDS કાપવાના વિરોધમાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. સોમવાર અને મંગળવાર બે દિવસ માટે માર્કેટયાર્ડ બંધ રહેશે. મંગળવાર બાદ યાર્ડ શરૂ કરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. TDS હટાવવા મામલે યાર્ડના વેપારીઓ સરકારને વિનંતી કરી રહ્યા છે. આ મામલે યાર્ડના વેપારીઓએ સરકારને રજૂઆત પણ કરી છે.
બે દિવસ ઊંઝા માર્કેટ યાર્ડ બંધ
તો આ તરફ સોમવારથી બે દિવસ સુધી ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રોકડની ઉપાડ પર TDS લગાવતા યાર્ડ બંધ લેવાનો નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા 1 કરોડથી વધુની રોકડ પર આજથી 2 ટકા TDS લગાવવાની જાહેરાત કરાઈ છે. જેને લઈને યાર્ડના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સોમવારે વેપારી પ્રતિનિધિ મંડળ દિલ્લીમાં પીએમ મોદીને રજૂઆત પણ કરશે. ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના નેતૃત્વમાં વેપારીઓ દિલ્લીમાં પીએમ મોદીને રજૂઆત કરશે.