સરકારે કહ્યું વયસ્કોની સારવારમાં વપરાતી દવા બાળકોના કામની નથી
ત્રીજી લહેરની આશંકાની વચ્ચે બાળકોને બચાવવાની તૈયારી પર સરકાર કામ કરી રહી છે તેને માટે બુધવારે એક ગાઈડલાઈન જારી કરવામાં આવી અને તેમાં લોકોને કેટલીક સલાહ આપવામાં આવી છે.
પોતાની જાતે ડોક્ટર ન બનો, ભૂલ ભારે પડી શકે છે
કોરોના મહામારી દરમિયાન ઘણા લોકો ડોક્ટરની સલાહ વગર જ બારોબાર મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદીને લેતા હતા. સરકારે આને ખતરનાક અને પ્રાણઘાતક ગણાવ્યું છે. સરકાર અને એક્સપર્ટ વારંવાર કહી રહ્યાં છે કે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા કે ગોળી ન લેવી જોઈએ. બાળકો અંગે તો વધારે સાવધાન રહેવાની જરુર છે. પોતાની જાતે ડોક્ટર બનવાની ભૂલ ન કરવી જોઈએ તે ભારે પડી શકે છે.
બાળકોને વયસ્ક દર્દીઓની દવાઓ ન આપો
સરકારે બુધવારે જારી કરેલા દિશાનિર્દેશોમાં જણાવ્યું કે કોરોનાના વયસ્ક દર્દીઓના ઉપચારમાં કામ આવનારી આઈવરમેક્ટિન, હાઈડ્રોક્સીક્લોરકીન, ફેવિપિરાવિર જેવી દવાઓ ડોક્સિસાઈક્લિન, એઝિથ્રોમાઈસીન જેવી એન્ટીબાયોટિક દવાઓ બાળકોની સારવારમાં ન લેવી જોઈએ.
દિશાનિર્દેશોમાં કહેવાયું છે કે ગંભીર કોરોનાથી પીડિત બાળકોની સારવાર માટે હોસ્પિટલો તથા દવાખાનાની સંખ્યા વધારવી જોઈએ. બાળકો માટે કોરોનાની વેક્સિનને સ્વીકૃતિ મળવાની સ્થિતિમાં વેક્સિનેશનમાં એવા બાળકોને પ્રાથમિકતા આપવી જોઈએ જે બીજા રોગોથી પીડિત હોય અને જેમને કોરોનાનું જોખમ હોય.
પરીક્ષણ બાદ દવાઓ આપવી વધારે સુરક્ષિત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બાળકોની સારવાર અંગેના દિશાનિર્દેશોમાં કહેવાયું કે કોરોનાના વયસ્ક દર્દીઓના ઉપચારમાં કામ આવનારી મોટાભાગની દવાઓ જેવી કે આઈવરમેક્ટિન, હાઈડ્રોક્સીક્લોરકીન, ફેવિપિરાવિર જેવી દવાઓ ડોક્સિસાઈક્લિન, એઝિથ્રોમાઈસીન જેવી એન્ટીબાયોટિક દવાઓનું પરીક્ષણ થયું નથી. તેથી આવી દવાઓ બાળકોને ન આપવી જોઈએ.