મચ્છરો પણ માણસની જેમ ઓળખે છે કલર, માનવ ત્વચામોકલે છે લાલ અને નારંગી કલરનો સંકેત. આ કલરથી મચ્છરો થાય છે આકર્ષિત
મચ્છરો પણ ઓળખે છે રંગ
3 રંગોથી વધારે આકર્ષિત થાય છે મચ્છર
લાલ,નારંગી અને વાદળી રંગોથી આકર્ષાય છે
મચ્છરથી કોન પરેશાન નથી. ગંદકી હોય ત્યાં મચ્છર હોય જ. વળી તેમાં પણ હવે એવુ સામે આવ્યુ છે મચ્છરોને પણ રંગ પારખતા આવડે છે. માણસોની જેમ મચ્છરો પણ રંગ પારખે છે. એક રિસર્ચમાં એવુ જાણવા મળ્યુ છે કે મચ્છર ચોક્કસ રંગો પ્રત્યે આકર્ષાય છે. ત્યારે જો આ રંગોનું ધ્યાન રાખવામાં આવે તો આપણી આસપાસ ફરતા મચ્છર અટકાવી શકાય.યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળનું તાજેતરનું સંશોધન સૂચવે છે કે સામાન્ય મચ્છરની પ્રજાતિઓ લાલ, નારંગી, કાળો અને વાદળી જેવા રંગો તરફ વધુ આકર્ષાય છે, જ્યારે લીલા, જાંબલી, વાદળી અને સફેદ રંગને અવગણે છે.
ગંધના ઉપયોગ કરીને મચ્છર કરે છે ઓળખ
સંશોધન કર્તાઓનું કહેવુ છે કે આ તારણ પરથી ખબર પડે છે કે મચ્છરો કેવી રીતે કોઇને કરડે છે. કારણ કે માનવ ત્વચા મચ્છરોની આંખ માટે મજબૂત લાલ અને નારંગી સંકેત મોકલે છે. આ સ્ટડી નેચર કોમ્યુનિકેશન્સ નામની પત્રિકામાં પ્રકાશિત થયો છે. સ્ટડીના વરિષ્ઠ લેખક તેમજ યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટનમાં જીવ વિજ્ઞાનના પ્રોફેસર જેફરી રિફેલે કહ્યું કે મચ્છર આસપાસ શું છે તે જાણવા માટે ગંધનો ઉપયોગ કરે છે.
શ્વાસ, પરસેવો અને ત્વચાનું તાપમાન મુખ્ય ત્રણ સંકેતો
જ્યારે મચ્છર આપણા શ્વાસમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા સંયોજનોની ગંધ લે છે, ત્યારે તે ગંધ તેમની આંખોને ચોક્કસ રંગો અને અન્ય દ્રશ્ય પેટર્ન માટે સ્કેન કરવા ઉત્તેજિત કરે છે. તે પોતાની જાતને સંભવિત યજમાન સાથે જોડે છે જેના પર તેઓ હુમલો કરે છે." તેઓએ એમ પણ ઉમેર્યું કે "મચ્છરોને આકર્ષતા ત્રણ મુખ્ય સંકેતો છે - શ્વાસ, પરસેવો અને ત્વચાનું તાપમાન. અભ્યાસ દરમિયાન, ચોથો સંકેત લાલ રંગના રૂપમાં જોવા મળ્યો, જે માત્ર કપડાંમાં જ નહીં પણ માણસોની ત્વચામાં પણ હોય છે."