અયોધ્યામાં રામ મંદિર બાદ હવે મસ્જિદ નિર્માણ પણ જલ્દી શરુ થવા જઈ રહ્યુ છે. હાલમાં મસ્જિદ નિર્માણને લઈને ગઠિત કરવામાં આવેલા ટ્રસ્ટને આના નામને લઈને એક સૂચનો આપવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટ ઈચ્છે છે કે મંદિરનું નામ ધન્નીપુર ગામના નામથી રાખવામાં આવે. જ્યાં મસ્જિદનું નિર્માણ થવાનું છે. ઉલ્લેખનીય છે કે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે આ મસ્જિદના નિર્માણ માટે સરકાર પાસે 5 એકડ જમીન સોહવલ તાલુકાના ધન્નીપુર ગામમાં ફાળવવામાં આવી છે.
મસ્જિદના નામથી વિસ્તારનું મહત્વ વધશે
સ્ટને આના નામને લઈને એક સૂચનો આપવામાં આવી રહ્યા છે
સોહવલ તાલુકાના ધન્નીપુર ગામમાં ફાળવવામાં આવી છે
મસ્જિદ માટે ગઠિત ટ્સ્ટ ઈન્ડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન મસ્જિદ નિર્માણમાં આના નામના વિવાદમાં પડવા નથી માંગતુ. ટ્ર્સ્ટના સચિવ અતહર હુસૈનના જણાવ્યાનુંસાર પ્રદેશના મંત્રી મોહસિન રજાએ મસ્જિદનું નામ મોહમ્મદ સાહેબના નામ પરથી રાખવાની સલાહ આપી છે. જેના પર ટ્રસ્ટની બેઠકમાં વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે તમામ સભ્યોના સૂચન છે કે અહીં બનનારી મસ્જિદનું નામ તેના ગામના નામ પરથી રાખવામાં આવે.
અતહર હુસૈને વધુમાં જણાવ્યું હતુ કે એમ પણ જ્યાંની મસ્જિદ હોય છે તેને તેના નામથી જ ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું કે ધન્નીપુર મસ્જિદનાં નામથી આ વિસ્તારનું મહત્વ પણ વધી જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મસ્જિદ માટે જમીનની ફાળવણીની સાથે જ ધન્નીપુર ગામ દેશ વિદેશમાં ચર્ચાનો વિષય બન્યુ છે. અમે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે મસ્જિદના નામ અને તેમની ભવ્યતા તથા આકાર મહત્વ નથી ધરાવતુ. મસ્જિદનું મહત્વ તે જગ્યાથી હોય છે જ્યાં તે બની છે.