શાસ્ત્રો અનુસાર સવારે કેટલીક વાતો જોવી શુભ માનવામાં આવે છે અને જો તમે તમારી શુભ શરૂઆત આ શુભ ક્રિયાઓથી કરો છો, તો તમારો આખો દિવસ સારો રહેશે. કેમ કે આપણા જીવનમાં સવારે કેટલીક વાતો કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે.
સવારે ઉઠીને તરત ન કરવું આ કામ
શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે ઉલ્લેખ
માતા-પિતાના આશિર્વાદ લેવાથી થાય છે ફાયદો
જોકે ઘણી વખત એવું બને છે કે નકારાત્મકતા એટલી બધી બની જાય છે જેના કારણે કેટલાક લોકો ખોટા પગલા ભરી લે છે. એટલા માટે હંમેશા તમે સવારે ઉઠતાની સાથે જ આવી વસ્તુઓ કરો, જેનાથી તમારો દિવસ શુભ અને શ્રેષ્ઠ બને છે. પરંતુ શાસ્ત્રો અનુસાર કેટલાક સવારે ઉઠીને કેટલાક કાર્ય કરવાની મનાઈ છે, તેથી આ કાર્યો તમારે જાણી લેવા જરૂરી છે.
તમારો ચહેરો અરીસામાં જોવો જોઈએ નહીં
શાસ્ત્રો અનુસાર સવારે ઉઠતાંની સાથે જ ક્યારેય તમારો ચહેરો અરીસામાં જોવો જોઈએ નહીં. આ કરવાથી, વ્યક્તિ ઉપર નકારાત્મક ઉર્જા પ્રભાવિત થાય છે. સવારે ઉઠતાંની સાથે જ તમારે પહેલા તમારા હથેળીઓને જોવું જોઈએ.
સકારાત્મક ઉર્જાનો પણ થાય છે સંચાર
સવારે ઉઠતાની સાથે જ ઇષ્ટ દેવનું ધ્યાન કરવું જોઇએ અને તેમના દર્શન કરવા જોઇએ, એવું કરવાથી ભગવાની કૃપા અવિરત તમારા પર બની રહે છે અને તમારું આત્મબળ પણ વધે છે. આ સાથે જ સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે.
સવારમાં સુર્યદેવને અર્ધ્ય ચઢાવવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે
સવારમાં સુર્યદેવને અર્ધ્ય આપવો જોઇએ. ભગવાન સૂર્યને દરરોજ સવારે જળ ચઢાવવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિનું આકર્ષણ વધે છે. તેમની આરાધનાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થઇ જાય છે. આ સાથે જ ધનની ક્યારેય અછત સર્જાતી નથી.
શક્ય હોય ત્યાં સુધી કોઇ જાનવરનું નામ ન લેવું
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સવારે ઉઠીને ક્યારેય વાનરનું નામ ન લેવું જોઇએ. આ સિવાય સવારમાં કોઇપમ જાનવરનું નામ ન લઇએ તે વધુ સારી બાબત છે. આ સાથે જ વાનરનું નામ લેવાને અશુભ માનવામાં આવે છે.
માતા-પિતાના આશિર્વાદ લેવા
સવાર ઉઠીને માતા-પિતાના આર્શિવાદ લેવા જોઇએ. માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો તમારા માતા-પિતા ખુશ નથી તો દેવી-દેવતાઓની કૃપા પણ તમારા પર રહેશે નહીં.