ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અધિકારીઓની બદલીનો દોર શરુ થયો છે. ત્યારે વધુ એકવાર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી. 2007ની બેચના IAS રવિશંકરની બદલી કરવામાં આવી. રવિશંકરને ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટર બનાવાયા. તેઓને souના ચીફ એડમિનિસ્ટ્રેટરનો વધારાનો ચાર્જ પણ સોંપાયો. આ ઉપરાંત ડી.કે.પારેખને GAICLના MD તરીકે બદલી કરવામાં આવી છે.
ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડમાં MDની બદલી
7 માર્ચના રોજ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડમાં MDની બદલી કરવામાં આવી હતી. GMSCLના MD પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી હતી. પ્રભાવ જોશીને ઉત્તર ગુજરાત વીજ કંપનીના MDતરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે કે.એસ રંધાવાને રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરવાથી જગ્યા ખાલી પડી હતી. તો આ તરફ IAS અજય પ્રકાશને GMSCLના MDનો ચાર્જ સોંપાયો હતો.
અગાઉ 6 અધિકારીઓની થઇ હતી બદલી અને બઢતી
મહત્વનુ છે કે અગાઉ 6 IAS અધિકારીઓને બઢતી સાથે બદલીલ કરવામાં આવી હતી. જય પ્રકાશ શિવહરેને GUVNLના MD બનાવાયા હતા. જ્યારે
આરોગ્ય કમિશનર તરીકે શાહમીના હુસૈનની નિયુક્તિ કરવામાં આવી હતી. અશ્વિની કુમારને સેક્રેટરીમાંથી પ્રિન્સીપલ સેક્રેટરીનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે સોનલ મિશ્રાને કમિશનરમાંથી પ્રિન્સીપલ સેક્રેટરીનું પ્રમોશન અપાયુ હતું, આ ઉપરાંત રમેશચંદ્ર મીનાને ડાયરેકર સ્પીપાને પ્રિન્સીપલ સેક્રેટરીનું પ્રમોશન અપાયું જ્યારે મનીષ ભારદ્વાજ સેક્રેટરીમાંથી પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું હતું.