દિલ્હી: સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ મામલે થયેલી ગરમાગરમ ચર્ચાના પડઘા બીજા દિવસે પણ જોવા મળ્યા. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટના માધ્યમથી પ્રધાનમંત્રી પર આક્ષેપ લગાવ્યો હતો. ટ્વીટમાં તેમણે લખ્યું કે `ગઇકાલે સંસદમાં થયેલી ચર્ચાના મુદ્દા. પ્રધાનમંત્રીએ દેશના નિર્માણ માટે આપણા લોકો પર ધિક્કાર ડર અને ગુસ્સો વ્યક્ત કર્યો. અમે સાબિત કર્યું કે પ્રેમ અને દયા તમામ ભારતીયોના દિલમાં રહેલી છે. આ જ રીતે દેશનું નિર્માણ થાય.'
ઉલ્લેખનીય છે કે ગતરોજ યોજાયેલ લોકસભા સત્રમાં સવારથી જ ચર્ચાનો દોર સવારથી ચાલુ છે કારણ કે અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જો કે આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
The point of yesterday’s debate in Parliament..
PM uses Hate Fear and Anger in the hearts of some of our people to build his narrative.
We are going to prove that Love and Compassion in the hearts of all Indians is the only way to build a nation.
તથા ગાંધીએ પોતાના ચાલુ વક્તવ્યમાં અચાનક PM મોદીને ગળે લગાવીને સંસદમાં પોતાની એક વિશેષ છાપ છોડી હતી. ત્યારે આ મામલે મોડી સાંજે રાહુલ ગાંધી અને કોંગ્રેસને આડેહાથ લેવામાં ભારતના વડાપ્રધાને કોઇ જ કસર છોડી ન હતી.
અંતે મોડી રાતે અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન યોજવામાં આવેલ જેમાં મોદી સરકારની વિરૂદ્ધમાં 126 મત પડ્યા હતા અને તરફેણમાં 325 મત મળતા સરકાર સામેની અવિશ્વાસની દરખાસ્ત બરખાસ્ત કરવામાં આવી હતી. જો કે PM એ સંસદગૃહમાં કરેલ આકરા પ્રહારનો જવાબ કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને આપ્યો હતો.