મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે 2053 લોકોને નકલી રસી લાગી છે. કોર્ટે સરકારને આપ્યા આ નિર્દેશ.
હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી ગુરુવારે નકલી રસીકરણનો રિપોર્ટ રજૂ
2053 લોકોને નકલી રસી લાગી
પીડિતો પર રસીની આડઅસરની તપાસ કરો- કોર્ટ
2053 લોકોને નકલી રસી લાગી
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 2 હજારથી લધારે લોકો નકલી રસીકરણ રેકેટમાં છેતરપિંડીનો શિકાર બન્યા છે. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે 2053 લોકોને નકલી રસી લાગી છે. આના પર હાઈકોર્ટમાં તે લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે જેમને આ રસી લગાવાઈ છે.
હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી ગુરુવારે નકલી રસીકરણનો રિપોર્ટ રજૂ
બોમ્બે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી ગુરુવારે નકલી રસીકરણનો રિપોર્ટ રજૂ કરાયો. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા તથા જસ્ટિસ જીએસ કુલકર્ણીની કોર્ટમાં રાજ્ય સરકારના વકીલ તથા મુખ્ય લોક અભિયોજક દીપક ઠાકરે કોર્ટને જણાવ્યું કે મુંબઈમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9 નક્લી રસીકરણ શિબિર આયોજિત કરવામાં આવી છે.
પોલીસે 400 સાક્ષીઓના નિવેદન નોંધ્યા
આ મામલામાં પોલીસ 4 અલગ અલગ ફરિયાદ નોંધી છે. ઠાકરેએ કોર્ટને જણાવ્યું કે લગભગ 2053 લોકો આ નકલી રસીકરણ શિબિરોનો શિકાર બન્યા છે. જેમાં બોરિવલીમાં 514, વર્સોવામાં 365, કાંવલીમાં 318, લોઅર પરેલમાં 207 અને મલાડમાં 30 સહિત અન્ય લોકો સામેલ છે. પોલીસે 400 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે કાંદિવસી સ્થિત હિરાનંદાની હેરિટેજ સોસાયટીમાં લગેલા નકલી રસી શિબિર મામલા માં એક ચિકિત્સક આરોપી છે. જે હજું મળ્યો નથી. કેટલાકની ઓળખ થઈ ચૂકી છે તો કેટલાક અજ્ઞાત શખ્સોની શોધ ચાલુ છે.
પીડિતો પર રસીની આડઅસરની તપાસ કરો- કોર્ટ
હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકાર કરતા કહ્યું કે રાજ્ય સરકાર અને બીએમસીના અધિકારીઓ પીડિતોમાં નકલી રસીની આડ અસરને લઈને તપાસ કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે અમને રસી લેનારની ચિંતા છે. કોર્ટે રાજ્ય સરકાર અને બીએમસી નિર્દેશ આપ્યા કે આ અંગે સોગંદનામું દાખલ કરી જવાબ આપે.