હાઈકોર્ટે પર્વતીય જિલ્લાઓના ખેડૂતોના જમીનના અધિકાર સાથે સંબંધિત નિર્ણયમાં પહાડોમાં ઝડપથી ઓછી થઈ રહેલી ખેતી પર પણ ખાસી ચિંતા વ્યક્ત કરી છે.
કોર્ટે કહ્યુ છે કે પ્રદેશમાં ખેતીનો વ્યવસાય અને ખેતિના મજૂરોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે જ્યારે પર્વતિય ક્ષેત્રમાં 90 ટકા લોકો કૃષિ પર નિર્ભર છે.
પ્રદેશના પર્વતિય વિસ્તારમાં માત્ર 20 ટકા ખેતી લાયક જમીન છે અને 80 ટકા બિનઉપયોગી છે કાં તો વેચી દેવામાં આવી છે. આ 20 ટકા કૃષિ ભૂમિમાં માત્ર 12 ટકા સિંચિત છે અને 08 ટકા વર્ષા પર આધારિત છે.
તેના પર પણ જે ખેતી થઈ શકે છે તેને જંગલી જાનવરો નષ્ટ કરી દે છે અને જે પાક બચી જાય છે તેની ઉચિત કિંમત નથી મળતી. આ તમામ મુદ્દાઓના કારણે 1951માં જ્યાં કૃષિ ક્ષેત્રમાં 50 ટકા મજૂરો કાર્યરત હતા 2011માં માત્ર 24 ટકા કૃષિ મજૂર હતા.
કૃષિને બચાવવા માટે કોર્ટે જણાવ્યુ હતુ કે આવશ્યક છે કે ખેડૂતોને પાકની ઉચિત કિંમત ઉચિત સમય પર આપવામાં આવે અને દેવાના કારણે આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારોને પેન્સન મળવી જોઈએ.
કોર્ટે કહ્યુ કે પ્રદેશમાં આ તમામ કારણોથી કૃષિની હાલત એટલી ગંભીર થઈ ચૂકી છે કે વિતેલા વર્ષોમાં અલ્મોડાથી 36401 પૌડીથી 35654 ટિહરીથી 33689 પિથૌરાગઢથી 22936 દેહરાદૂનથી 20625 ચમોલીથી 18536 નૈનીતાલથી 15075 ઉત્તરકાશીથી 11710 ચંપાવતથી 11281 રૂદ્રપ્રયાગથી 10970 અને બાગેશ્વરથી 10073 ખેડૂતો પલાયન કરી ચૂક્યા છે.
કોર્ટના આંકડા પ્રમાણે પર્વતીય ક્ષેત્રથી પલાયન કરનારા ખેડૂતોની સંખ્યા 2 26 950 થઈ ચુકી છે.