દેશમાં બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત કોરોનાના ભારતીય રુપ પણ દર્દીઓમાં મળી રહ્યા છે.
દર્દીમાં ભારતીય રુપ પણ દર્દીઓમાં મળી રહ્યા છે
1109 દર્દીઓમાં બ્રિટેનથી ભારત આવેલા કોરોનાના નવા રુપની ઓળખ થઈ
એક જ વિસ્તારમાં 3થી વધારે પ્રકારના કોરોના વાયરસ મળ્યા
દર્દીમાં ભારતીય રુપ પણ દર્દીઓમાં મળી રહ્યા છે
દેશમાં અત્યાર સુધીમાં 3થી વધારે રુપથી ગ્રસ્ત 1189 લોકો સંક્રમિત મળ્યા છે. ગત 3 મહિનામાં 13 હજારથી વધારે લોકો સંક્રમિતોના સેમ્પલની જીનોમ સ્ક્રિનિંગ બાદ જાણવા મળ્યું કે દેશમાં બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત કોરોનાના ભારતીય રુપ પણ દર્દીઓમાં મળી રહ્યા છે.
1109 દર્દીઓમાં બ્રિટેનથી ભારત આવેલા કોરોનાના નવા રુપની ઓળખ થઈ
સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે 1109 દર્દીઓમાં બ્રિટેનથી ભારત આવેલા કોરોનાના નવા રુપની જાણ થઈ છે. ત્યારે 79 લોકોમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં તેજીથી ફેલાઈ રહેલા વાયરસોના પ્રકાર એક ભારતીય દર્દીમાં મળી ચૂક્યા છે.
એક જ વિસ્તારમાં 3થી વધારે પ્રકારના કોરોના વાયરસ મળ્યા
આ ઉપરાંત 10 સંક્રણિત દર્દીઓના સેમ્પલમાં વેરિએન્ટ મળ્યા છે જે ભારતમાં જ જોવા મળે છે. એક ન્યૂઝ વેબસાઈટે ખુલાસો કર્યો હતો કે એક જ વિસ્તારમાં 3થી વધારે પ્રકારના કોરોના વાયરસ મળ્યા છે. જેમાં 10 રાજ્યોમાં 2 પ્રકારના વાયરસ મળ્યા છે જેને લઈને કેન્દ્ર સરકારે 10 રાજ્યોમાં નજર રાખનારી ટીમને સતર્કતા વર્તવાના આદેશ પણ આવ્યા છે.
એનસીડીસી તેમના માટે વિશેષ રીતે જનોમ સ્ક્રિનિંગ કરી રહ્યુ છે
સમાચાર પ્રકાશિત થયા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયના નિવદેન જારી કરતા ન ફક્ત આના પર સત્તાવાર મુહર લગાવી છે બલ્કે તેમણે એમ પણ જણાવ્યું છે કે રાજ્યો તરફથી માંગ મળ્યા બાદ એનસીડીસી તેમના માટે વિશેષ રીતે જનોમ સ્ક્રિનિંગ કરી રહ્યુ છે.
70 ટકામાં યુકે વેરિએન્ટની પુષ્ટિ કરવામાં આવી
ગત 8 એપ્રિલે હિમાચલ, 26 માર્ચે પંજાબ, 10 એપ્રિલે રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આવેલા સેમ્પલનું સ્ક્રીનિંગ કર્યા બાદ આ રિપોર્ટ પણ જારી કરી ચૂક્યા છે. હાલમાં જ એનસીડીસીએ ચંદીગઢતી આવેલા સેમ્પલમાંથી 70 ટકામાં યુકે વેરિએન્ટની પુષ્ટિ કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે નવા વેરિએન્ટથી બચવા માટે આરટી પીસીઆર ટેસ્ટ પર ભાર મુકવામાં આવ્યો છે. આ ટેક્નિકના ઓછો ઉપયોગ કરવામાં આપણને સફળતા નહી મળી શકે.