ભારતમાં આવી છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડબ્રેક કેસ આવતા ફરીથી સરકારની ચિંતામાં વધારો થયો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના નવા કેસ 1 લાખ 15 હજાર 262 આવ્યા છે. તો સાથે દેશમાં કોરોનાથી એક દિવસમાં રિકવર દર્દી 59 હજાર 700ની પહોંચી છે. ભારતમાં એક દિવસમાં કોરોનાથી 630ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 8 લાખ 38 હજાર 633 છે. દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 27 લાખ 99 હજાર 746 થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 17 લાખ 89 હજાર 759 થઈ છે. તો ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 66 હજાર 208 પહોંચ્યો છે.
मुंबई में पिछले 24 घंटों में #COVID19 के 10,030 नए मामले सामने आए हैं। इस दौरान 31 लोगों की मृत्यु हुई है। कुल मामलों की संख्या 4,72,332 हो गई है। pic.twitter.com/RGxYCanJVx
મુંબઈમાં વકર્યો કોરોના
ગઈકાલે મુંબઇમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ કેસ આવ્યા છે. અહીં એક જ દિવસમાં 10 હજાર 30 નવા કેસ આવવાની સાથે સાથે એક જ દિવસમાં મુંબઇમાં કોરોનાના 31 દર્દીના મૃત્યુ થયા હોવાનું પણ સામે આવ્યું છે. મુંબઇમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 11 હજાર 828 સુધી પહોંચી ચૂક્યો છે. મુંબઇમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4 લાખ 72 હજાર 332 થઈ છે અને સાથે જ એક જ દિવસમાં 7019 દર્દી સ્વસ્થ થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પમ 25 કલાકમાં 55469 કેસ આવ્યા છે અને સાથે 34256 લોકો સારવાર બાદ સાજા થયા છે. અહીં 24 કલાકમાં 297 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે.
दिल्ली में 5100 नए #COVID19 मामले, 2340 रिकवरी और 17 मौतें दर्ज़ की गई।
દિલ્હીમાં વધ્યું કોરોના સંક્રમણ
દેશમાં રાજધાની દિલ્હીમાં પણ એક જ દિવસમાં કોરોનાના 5100 કેસ આવતા ફફડાટ જોવા મળ્યો છે. અહીં 24 કલાકમાં એટલે કે એક જ દિવસમાં 17 દર્દીના મૃત્યુ થયા હોવાના આંકડા સામે આવી રહ્યા છે. જેના કારણે સરકારની ચિંતામાં પણ મોટો વધારો થયો છે.
कोरोना के बढ़ते मामलों को देखते हुए मैंने 11 राज्यों के स्वास्थ्य मंत्रियों के साथ बैठक की है। जो लोग कोविड निर्देशों का पालन नहीं कर रहे हैं उनके ख़िलाफ़ सख्ती से पेश आना है। वैक्सीनेशन को देश में आंदोलन के रूप में विकसित करना है: केंद्रीय स्वास्थ्य मंत्री डॉ. हर्षवर्धन #COVID19pic.twitter.com/mPW2plLe3g
દેશના 11 રાજ્યોમાં વકરી રહ્યો છે કોરોના
આ 11 રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન છે. જેમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 92.38 ટકા જેટલો છે અને વધતા જતા કેસો પછી પણ મૃત્યુ દર 1.30 ટકા છે. પરંતુ ક્યાંક કેટલીક મોટી ક્ષતિઓ છે, જેના કારણે આ સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે.
અમદાવાદમાં AMCએ મહત્વનો નિર્ણય લીધો
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. AMCની કચેરીઓમાં માત્ર 50 ટકા કર્મીઓ જ ફરજ બજાવશે. જેમાં વર્ગ 2, 3 અને 4ના કર્મચારીઓને નિર્ણય લાગૂ થશે. AMC કમિશનરે કચેરીમાં 50 ટકા સ્ટાફ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
આવી છે ગુજરાતની સ્થિતિ અને હાઈકોર્ટની ટકોર બાદ 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે સીએમના આદેશ
ગુજરાત હાઈકોર્ટે કરેલી ટકોર બાદ થયેલી બેઠકોના પરિણામ સ્વરૂપ ગુજરાતના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો. આ સિવાય લગ્ન પ્રસંગોને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.
गुजरात में 3280 नए #COVID19 मामले, 2167 डिस्चार्ज और 17 मौतें दर्ज़ की गई।
कुल मामले: 3,24,878
कुल डिस्चार्ज: 3,02,932
सक्रिय मामले: 17,348
कुल मौतें: 4,598
ગુજરાતમાં વકરી રહ્યો છે કોરોના
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3280 કેસ નોંધાયા છે અને 2167 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,02,932 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 17 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4598 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 17348 પર પહોંચ્યો છે. અમદાવાદ બાદ સુરત અને રાજકોટમાં પણ કોરોના વકરી રહ્યો છે. અહીં એક અઠવાડિયામાં 250 બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.