9 માર્ચ 2022ના રોજ ભારતની હથિયાર વગરની સુપરસોનિક મિસાઈલ ભૂલથી લોન્ચ થઈ ગઈ હતી. જે પાકિસ્તાનમાં જઈને પડી હતી.જો કે આ દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો નહોતો.
ભારતની સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનમાં જઈ પડી હતી
આ મામલાની ચાલી રહી છે ઉંડાણ પૂર્વક તપાસ
તપાસ દરમિયાન જે અધિકારીઓ સંડોવાયેલા હતા, તેમના વિરુદ્ધ કાર્યવાહી
9 માર્ચ 2022ના રોજ ભારતની હથિયાર વગરની સુપરસોનિક મિસાઈલ ભૂલથી લોન્ચ થઈ ગઈ હતી. જે પાકિસ્તાનમાં જઈને પડી હતી.જો કે આ દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો નહોતો. પણ આ બેદરકારી માટે ભારતીય વાયુસેનાના એકથી વધારે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ ટૂંક સમયમાં જ એક્શન લેવામાં આવશે.
એક ઉચ્ચ પદસ્થ અધિકારીએ જણાવ્યું છે કે, આ મામલાની તપાસ વાઈલ એર માર્શલ આરકે સિન્હાને આપવામાં આવી છે. તેમણે આ મામલામાં લાપરવાહી કરનારા એકથી વધારે વાયુસેનાના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ અધિકારી મિસાઈલ સ્ક્વાડ્રથી સંબંધ ધરાવે છે. ટૂંક સમયમાં આ લોકો વિરુદ્ધ મોટી એક્શન લેવામા આવી શકે છે. તેમના વિરુદ્ધ કડકાઈ વર્તવામાં આવી રહી છે.
ભવિષ્યમાં ન થાય ભૂલ, તેના માટે સખ્તાઈ જરૂરી
વાયુસેના મુખ્યાલયે કહ્યું હતું કે, ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એટલા માટે સ્ટેંડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સને કડકાઈથી ફોલો કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, 9 માર્ચે ભારતીય વાયુસેનાની સુપરસોનિક મિસાઈલ લાહૌરથી લગભગ 275 કિમી દૂર પાકિસ્તાની એરિયામાં જઈને પડી હતી. તેનાથી એક કોલ્ડ સ્ટોરેજનનું નુકસાન થયું હતું. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેના પર કહ્યું હતું કે, અમે ભારતીય મિસાઈલ પાકિસ્તાનમાં પડવાનો જવાબ આપી શકીએ છીએ, પણ અમે સંયમ રાખ્યો હતો