એક સર્વેમાં જાણવા મળ્યું છે કે લૉકડાઉનના સમયે ફસાયેલા શ્રમિકો જ્યારે ઘરે ગયા તો તેમાંથી લગભગ 85 ટકાએ પોતે ભાડું ચૂકવ્યું હતું. જ્યારે સરકાર એ દાવો કરી રહી હતી કે આ તમામ શ્રમિકોનું ભાડું તેઓએ ચૂકવ્યું છે.
SWAN સર્વેમાં કરાયો દાવો
પ્રવાસી શ્રમિકોએ ઘરવાપસીનું ચૂકવ્યું ભાડું
સરકારે પોતે ભાડું ચૂકવ્યા હોવાનો કર્યો દાવો
લૉકડાઉનમાં ફસાયેલા સ્થળાંતર કરનારાઓને તેમના ઘરે પાછા ફરવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી. સરકારો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. બસ અને શ્રમિક વિશેષ ટ્રેનો પણ દોડાવવામાં આવી હતી. હવે એક સ્વયંસેવક જૂથ સર્વે ઓફ સ્ટ્રેસડ વર્કર્સ એક્શન નેટવર્ક (SWAN) એ ખુલાસો કર્યો છે કે ઘરે જતા 85% કામદારોએ પોતાનું ભાડું ચૂકવવું પડ્યું હતું. આ સર્વે સરકારોના દાવાને ખોલે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કામદારો પાસેથી બસ અને ટ્રેનનું ભાડુ લેવામાં આવતું નથી. તમામ રાજ્ય સરકારોએ દાવો કર્યો કે તેઓએ પ્રવાસી શ્રમિકોનું ભાડું પોતાની પાસેથી આપ્યું છે.
સર્વેમાં 85 ટકાએ કહ્યું કે અમે પોતે ભાડું ખર્ચીને આવ્યા છીએ
SWAN સર્વે અનુસાર 28 મેના સુપ્રીમ કોર્ટના આદેશથી મોડું થયું હતું, જેમાં સરકારોને સ્થળાંતર કરનારાઓનો ખર્ચ ઉઠાવવા જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, મેની શરૂઆત સુધીમાં ઘણા પરપ્રાંતિયો તેમના ઘરે ગયા હતા. ઓટોમેટેડ ફોન સર્વેમાં 1963 સ્થળાંતરકારો સાથે વાત કરી હતી. આમાંથી ફક્ત 33% લોકો તેમના ઘરે જઇ શક્યા હતા, બાકીના 67% લોકો મજબૂરીમાં શહેરમાં રહ્યા. જે પણ ગયા તેમાંથી 85% લોકોએ તેમના ખિસ્સામાંથી ભાડું ચૂકવ્યું.
ઘર જવા માટે ચૂકવવા પડ્યા હતા હજારો રૂપિયા
'ટુ લીવ ઓર નોટ ટુ લીવ: લૉકડાઉન, માઇગ્રન્ટ વર્કર્સ અને તેમની જર્ની હોમ' નામનો અહેવાલ શુક્રવારે બહાર પાડવામાં આવ્યો હતો. આ સર્વે મેના છેલ્લા અઠવાડિયામાં અને જૂનના પહેલા અઠવાડિયામાં કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર 62% લોકોએ જે ઘરની મુલાકાત લીધી હતી તેઓએ 1500 રૂપિયાથી વધુ ભાડુ ચુકવ્યું હતું.
કામ ન હોવાથી રૂપિયા ન હોવાથી શ્રમિકો પરત ફર્યા હતા
એસડબ્લ્યુએન ખાતેની સંશોધનકર્તાએ જણાવ્યું હતું કે 'અમને ખબર પડી ગઈ છે કે લોકો બીમારીના ડરથી અથવા કુટુંબ સાથે રહેવાને કારણે ઘરે ભાગતા નથી. શહેરમાં બેરોજગારી, કમાણીના સાધનનો અભાવ, ખાદ્યપદાર્થોનો અંત અને શહેરમાં કોઈ કામ ન હોવાને કારણે લોકોએ તેમના ઘરે જવાનું શરૂ કર્યું. સર્વેમાં 44 ટકાએ કહ્યું કે તેઓએ બસનો સહારો લીધો અને 39 ટકા શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનની મદદથી આવ્યા. 11 ટકા ટ્રક, લોરી અને અન્ય સાધનોથી પોતાના ઘરે આાવ્યા હતા. 6 ટકા લોકો એવા છે જે પગપાળા પોતાના ગામ આવ્યા હતા. રિપોર્ટ અનુસાર શહેરોમાં ફસાયેલા 55 ટકા લોકો કોઈ પણ સ્થિતિમાં ઘરે જવા ઈચ્છતા હતા.
શ્રમિકોને પડી રહી હતી આ મુશ્કેલી
રિપોર્ટમાં જણાવાયું છે કે 5911 પ્રવાસી શ્રમિકો સાથે વાત કરવામાં આવી. તેમાંથી 15 મેથી 1 જૂનની વચ્ચે પોતાની સમસ્યા જણાવી છે. તેમાંથી 80 ટકા લોકો એવા છે જેમને રાશન કે ખાવાની ચીજો મળી રહી નથી. 63 ટકા લોકો એવા છે જેમની પાસે મુશ્કેલીથી 100 રૂપિયા બચ્યા છે. 57 ટકા લોકોએ ફોન કરીને એમ કીધું છે કે તેમની પાસે ન તો રૂપિયા છે અને ન તો ખાવાનું. તેઓ હાલમાં ભૂખથી ટળવળી રહ્યા છે.