કોરોનાની જંગમાં ભારતની જીત જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયામાં કેસ ઘટી રહ્યા છે અને 600થી વધુ જીલ્લામાં કોઈ મોત થયા નથી.
કોરોનાની લડાઈમાં ભારત જીત્યું
600થી વધુ જિલ્લામાં એક અઠવાડિયામાં કોઈ મોત નહીં
9 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોઈ મોત થયા નથી
રાજ્યના આધારે વાત કરીએ તો 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 10 કે 10થી ઓછા કોરોના સંબંધિત કેસ છેલ્લા એક અઠવાડિયામાં આવ્યા છે. તેમાંથી 9 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં એક અઠવાડિયાથી કોઈ મોત થયું નથી. ભારતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર એ પણ છે કે કોરોનાના કારણે થતા મોત ઘટી રહ્યા છે તો સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે. 602 જિલ્લામાં કોઈ મોત છેલ્લા એક અઠવાડિયામાં થયા હોય તેવું જાણવા મળ્યું નથી.
33 राज्यों और केंद्र शासित प्रदेशों में सक्रिय मामले 5,000 से कम हैं। 19 राज्यों और केंद्र शासित प्रदेशों में पिछले 24 घंटों में कोरोना से कोई मौत नहीं हुई है: केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 729 જિલ્લામાંથી 116 જિલ્લામાં એક અઠવાડિયામાં મોતની સંખ્યા 10થી વધારે નથી. આ આંકડા 10 ફેબ્રુઆરી સુધીના છે. એક તરફ કોરોનાથી દેશમાં 1.5 લાખથી વદારે લોકોના મોત થયા છે તો આ આંકડા હાલમાં રાહત આપી રહ્યા છે.
આ જગ્યાઓએ કોરોનાથી થતા મોતની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
કેટલાક વિસ્તારોમાં કોરોનાથી થતા મોતની સંખ્યા ઘટી રહી છે તો કેટલાક અતિ સંક્રમિત રહી ચૂકેલા મહારાષ્ટ્ર અને કેરળમાં 10 દિવસમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા વધી છે. તેમાં પુના, તિરુવનંતપુરમ, કોઝોકોડ, મુંબઈ, નાગપુર, યવતમાલ, કોલ્લામ અને બેંગલુરુ છે. રાજ્યના આધારે વાત કરીએ તો 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 10 કે 10થી ઓછા કોરોના સંબંધિત કેસ છેલ્લા એક અઠવાડિયામાં આવ્યા છે. તેમાંથી 9 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં એક અઠવાડિયાથી કોઈ મોત થયું નથી.
કોરોના સામેની લડાઈ ન હતી સરળ
ભારત જ નહીં વિશ્વ માટે પણ કોરોના વાયરસની લડાઈ મુશ્કેલ રહી છે. આ લડાઈમાં દેશમાં લગભગ 734 ડોક્ટરે પોતાના જીવ ખોવ્યા છે. કોરોનાની લડાઈમાં ભારતે વેક્સીનેશન શરૂ કરીને આ લડાઈમાં મોટો વિજય મેળવ્યો છે. હેલ્થ વર્કર્સ બાદ ફ્રન્ટ લાઈન વર્કર્સને કોરોનાની વેક્સીન લગાવાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે અમે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપી છે કે 1 માર્ચ 2021 સુધી દરેક ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સીન આપી દેશું.
દેશમાં કોરોનાથી મોતના કેસમાં ઘટાડાની સાથે કોરોના સક્રિય કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ 1.41 લાખ થયા છે. આ આંકડો દેશમાં કોરોનાથી થતા કુલ મોતથી ઓછો છે.