સોમવારે 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 2,23,298 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.
કોરોના રસીકરણ મામલે ભારતને વધુ એક સફળતા
પીએમ મોદીએ રાજ્યસભા ભાષણમાં કરી રસીકરણની વાત
સોમવારે દેશમાં કુલ 2 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં ઝડપથી કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે. 8 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યા સુધીમાં, કુલ 60,35,660 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. આ ડેટા પછી ભારત સૌથી ઝડપથી 60 લાખ લોકોનું કોરોના રસીકરણ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગનાનીએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 54,12,270 આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. તે જ સમયે 2 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 6,23,390 જેટલા ફ્રન્ટલાઈન કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી છે.
આજે કુલ બે લાખની વધુ લોકોને રસી આપવામાં આવી
કેન્દ્રીય આરોગ્ય સચિવ અગ્નાનીએ કહ્યું કે આજે 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે સાંજે 6 વાગ્યા સુધી 2,23,298 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં કુલ 29 લોકો માંદા પડી ચૂક્યા છે
તેમણે એમ પણ માહિતી આપી હતી કે રસીકરણ બાદ કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશમાં આવા લોકોની કુલ સંખ્યા 29 છે, જેમાંથી 19 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એકની સારવાર ચાલી રહી છે અને 9 લોકોનાં મોત નીપજ્યાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં કહ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાલમાં ભારતમાં ચાલી રહ્યું છે, દેશને તેનો ગર્વ થઈ શકે છે. આજે, વૈજ્ઞાનિકો એક મિશન મોડમાં કામ કરી રહ્યા છે. કોરોના સમયગાળામાં, ભારત વિશ્વભરમાં ફાર્મસી હબ તરીકે ઉભરી આવ્યું છે. સોમવારે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ અંગેની ચર્ચાને જવાબ આપતા કહ્યું કે શીતળા, પોલિયો વગેરે પહેલાં કેટલું ડરામણ હતું ? રસી માટે શું શું મહેનત કરવી પડતી હતી? આજે ટૂંક સમયમાં રસી તૈયાર કરવામાં આવી છે. ભારતમાં આજે વિશ્વનું સૌથી મોટી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.