2016માં આવેલા WHOના રિપોર્ટને પહેલા સરકારે માનવા માટે ના પાડી દીધી હતી. હવે સ્વાસ્થ્ય મંત્રાલયે એ આંકડાને સાચા જણાવ્યા છે. દેશમાં 57.3 ટકા ડોક્ટર્સ નકલી છે.
શું આપણા દેશમાં એલોપેથીની પ્રેક્ટિસ કરી રહેલા મોટાભાગના ડોક્ટર નકલી છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ તો આવું કહે છે અને હવે સરકારે પણ આ ચોંકાવનાર સત્યનો સ્વીકાર કર્યો છે.
વર્ષ 2016માં ભારતના સ્વાસ્થ્ય કર્મચારીઓ પર WHO નો એક રિપોર્ટ આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં જેટલા ડોક્ટર્સ એલોપેથિક મેડિસિનની પ્રેક્ટિસ કરી રહ્યા છે, એમાંથી 57.3 ટકાની પાસે કોઇ મેડિકલ ક્લોલિફિકેશન છે જ નહીં.
ત્યારે સરકારે આ વાત સ્વીકારવાની ના પાડી દીધી હતી. જાન્યુઆરી 2018માં લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આ રિપોર્ટને બકવાસ કરાર આપ્યો હતો. પરંતુ હવે એ સ્વાસ્થ્ય મંત્રાલયે આ આંકડાને સત્તાવાર રીતે સાચા જણાવ્યા છે.
હવે કેમ સરકાર માની રહી છે WHOનો એ રિપોર્ટ?
તાજેતરમાં લાવવામાં આવેલ નેશનલ મેડિકલ કમીશન એક્ટ હેઠળ CHP ને અનુમતિ આપવા માટે સરકારે WHOના એ જૂના રિપોર્ટનો સહારો લીધો છે.
નેશનલ મેડિકલ કમીશન એક્ટના સંબંધમાં પીઆઇબી દ્વારા 6 ઓગસ્ટે જારી કરવામાં આવેલ એક એફએક્યૂ (FAQ) માં કહેવામાં આવ્યું છે કે વર્તમાનમાં એલોપેથિક મેડિસિનની પ્રેક્ટિસ કરી રહેલા 57.3 ટકા લોકોએ મેડિકલની શિક્ષા લીધી નથી.
2001ની જનગણના પર આધારિત WHOના રિપોર્ટ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરનાર માત્ર 20 ટકા ડોક્ટર્સે મેડિકલની શિક્ષા પ્રાપ્ત કરી છે.
એમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પ્રેક્ટિસ કરનાર લોકોમાંથી 31 ટકા તો એવા લોકો છે જેમને માત્ર 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો હોય.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી FAQ માં કહેવામાં આવ્યું છે કે ભારતની મોટાભાગની ગ્રામીણ જનતાની પાસે સારી સ્વાસ્થ્ય સેવા છે જ નહીં. એ નકલી ડોક્ટર્સની જાળમાં ફસાયેલા છે.
આ FAQ માં WHO ના વર્ષ 2016નો એ રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે, જેને માત્ર દોઢ વર્ષ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે સ્વીકારવાની ના પાડી દીધી હતી.
5 જાન્યુઆરી 2018એ લોકસભામાં એક લિખિત જવાબમાં તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે, 'આ રિપોર્ટ ભ્રમ પેદા કરતો છે. મેડિકલની પ્રેક્ટિસ કરવા માટે નોંધણી જરૂરી હોય છે જે એમબીબીએસની ડિગ્રી વગર શક્ય નથી.' એમને તરત એવું પણ કહ્યું હતું કે આ પ્રકારે નકલી ડોક્ટરો અને ખોટા સામે નિપટવાની જવાબદારી સંબંધિત રાજ્ય સરકારની બને છે.