સહારા ગ્રુપની લગભગ 4 ડિપોઝીટ યોજનાઓની 15 હજારથી વધુ થાપણદારોએ ફરિયાદ કરી છે. આ યોજનાઓમાં 4 કરોડ ડિપોઝીટર્સે નાણાંનું રોકાણ કર્યું છે. હવે આ થાપણદારોને પાકતી મુદત પછી તેમના નાણાં મળી રહ્યા નથી. સહારા એજન્ટોએ પણ આ મામલે ઘણા આક્ષેપો કર્યા છે.
સહારા જૂથની 4 ક્રેડીટ સોસાયટીમાં કૌભાંડની આશંકા
4 કરોડથી વધુ લોકોએ રોકી છે પોતાની મૂડી
86 હજાર કરોડથી વધુની રકમ એકત્ર થઈ છે સહારાની સ્કીમોમાં
સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા બચાવનારા કરોડો થાપણદારોએ હવે તેમના નાણાં ડૂબી જવાનું જોખમ વધાર્યું છે. ઘણા વર્ષોથી આ યોજનામાં સતત બચત કરી રહેલા થાપણદારો હવે તેમના નાણાં પાછા મેળવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. પરંતુ, તેમને સહારા હેલ્પલાઈન નંબરો તરફથી કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી.
સુબ્રત રોય સહારાની આવા 4 કોઓપરેટિવ સોસાયટીઓમાં લગભગ 4 કરોડ થાપણદારોએ બચત માટે નાણાં જમા કરાવ્યા છે. હવે કેન્દ્ર સરકારની નજર આ સોસાયટીઓ પર છે. ખરેખર, સહારા ગ્રુપ પર છેતરપિંડીના આરોપો લાગ્યા છે. માનવામાં આવે છે કે સહારા ગ્રૂપે આ થાપણદારો પાસેથી 86,673 કરોડ રૂપિયા ઉઘરાવ્યા અને ત્યારબાદ આમાંથી એમ્બી વેલી લિમિટેડમાં 62,643 કરોડનું રોકાણ કરી નાખ્યું હતું.
સરકાર પાસે 15 હજારથી વધુ ફરિયાદો છે
દેશભરના 15,000થી વધુ થાપણદારોએ કૃષિ મંત્રાલય હેઠળના કોઓપરેટિવ સોસાયટીના સેન્ટ્રલ રજિસ્ટ્રારને ફરિયાદ કરી છે. આ લોકોની ફરિયાદ છે કે મુદ્દત પૂર્ણ થયા પછી પણ તેમને આ સોસાયટીઓ પાસેથી ચુકવણી મળી નથી. જે સોસાયટી વિશે આ ફરિયાદો આવી રહી છે તેમાંથી હમારા ઈન્ડિયા, સ્ટોર્સ મલ્ટિપર્પઝ, સહારા ક્રેડીટ કોઓપરેટીવ અને સહારયન યુનિવર્સલના નામ સામેલ છે.
નોંધનીય છે કે 15 હજારથી વધુ ફરિયાદો થાપણદારો માટે કટોકટીની ચોક્કસ વિગતો આપી રહી નથી. ઈન્ડિયન એક્સપ્રેસે એક અહેવાલમાં જણાવ્યું છે કે મધ્યપ્રદેશના અશોક નગર જિલ્લામાંથી આશરે 1000 થાપણદારોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અભય વર્માને ટાંકતા એક રિપોર્ટમાં ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું છે કે 24 ઓગસ્ટે તેમણે રજિસ્ટ્રારને લેખિત સૂચના આપી હતી કે તેમાં 3 સોસાયટીઓની નોંધણી રદ કરવામાં આવે અને થાપણદારોના નાણાં તેઓને પરત કરવામાં આવે.
અભય વર્માએ જણાવ્યું કે તેમના જિલ્લામાં 10 હજારથી વધુ થાપણદારો છે, જેમણે તેમાં નાણાંનું રોકાણ કર્યું છે. અત્યાર સુધીમાં 1 હજાર લોકોએ ફરિયાદ નોંધાવી છે. જાહેર નોટિસ જારી કરીને, આવા થાપણદારોને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની ફરિયાદ નોંધાવી શકે છે. તપાસ દરમિયાન જાણવા મળેલું કે વધુ વળતરની લાલચ આપીને પૈસા પડાવવામાં આવ્યા છે.
સહારા ગ્રુપનો દાવો શું છે
એક અહેવાલમાં સહારાના પ્રવક્તાને ટાંકીને જો કે લખવામાં આવ્યું છે કે કંપની આ મામલે કામ કરી રહી છે. 2019 માં કંપનીએ 17 હજાર કરોડ રૂપિયા પણ ચૂકવ્યા છે. પ્રવક્તા કહે છે કે 4 કરોડ થાપણદારોમાંથી માત્ર 20 હજાર લોકોએ જ ફરિયાદ કરી છે. ટકાવારીની દ્રષ્ટિએ, તે માત્ર 0.005 ટકા છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે 19,500 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. અન્ય લોકોએ મેચ્યોરિટી ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા નથી, તેથી તેમના પેમેન્ટમાં અડચણ આવી રહી છે.
સહારા એજન્ટોએ પણ કર્યા હતા આક્ષેપો
માત્ર થાપણદારો જ નહીં, પણ આ થાપણો એકત્રિત કરનારા એજન્ટોએ પણ રજિસ્ટ્રારને ફરિયાદ કરી છે. એક એજન્ટ કહે છે કે જ્યારે પણ તપાસ એજન્સીઓ કોઈ પગલાં લે છે ત્યારે સહારા ગ્રુપ મેનેજમેન્ટ આ યોજનાઓનું નામ અને તેની શરતોને બદલી નાખે છે. આ અંગે થાપણદારોને કોઈ માહિતી આપવામાં આવી નથી. તેઓ એક યોજનાની થાપણ બીજી યોજનામાં ફેરવી નાખે છે.
સહારા કંપનીનુ શું કહેવું છે?
આ બાબતે સહારાના પ્રવક્તા કહે છે કે નારાજ કર્મીઓ જેઓને બરતરફ કરાયાછે તેઓ આવો આક્ષેપ કરી રહ્યા છે. તેઓ સોસાયટીની ઈમેજને બગાડવા માગે છે. યોજનાઓ વચ્ચે ફંડ્સની હેરાફેરી કરવા અંગે પ્રવક્તાએ કહ્યું કે અમે કોઈપણ તપાસ કે ઓડિટ માટે તૈયાર છીએ. અમે નિયમોને આધીન જ આ કાર્યવાહી કરી છે.