કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે.
બે દિવસીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ
યુવાનોને નશાથી બચાવવા NCBનું પ્રશંસનીય કામ
30,000 કિલો ડ્રગ્સનો નાશ કરી દેવાયો
ગૃહમંત્રી અમિત શાહની દેખરેખમાં ચાર ઠેકાણે નશાનો નાશ કરાયો
દેશના યુવાધનને નશામાંથી બચાવવા માટે કેન્દ્ર સરકારે એક વિશેષ અભિયાન છેડ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે બે દિવસીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે NCB દ્વારા ઝડપાયેલ 30,000 કિલો ડ્રગ્સનો નાશ કરી દેવાયો હતો. ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ઘટના નિહાળી હતી.
#WATCH | More than 30,000 kgs of seized drugs destroyed by the Narcotics Control Bureau (NCB) today across 4 locations under the watch of Union Home Minister Amit Shah via video conferencing, from Chandigarh. pic.twitter.com/s40pNeMrgC
એનસીબી દ્વારા ચાર ઠેકાણે 30,000થી વધારે કિલો માદક દ્રવ્યોનો નાશ કરાયો હતો. આ દરમિયાન અમિત શાહ હાજર રહ્યાં હતા. એનસીબી દ્વારા ડ્રગ્સને આગ ચાંપી દેવામાં આવી હતી. માદક દ્રવ્ય હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર કોન્ફરન્સને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે દેશને ખાતરી આપી કે કેન્દ્ર સરકારે માદક દ્રવ્યો સામે ઝીરો ટોલેરેન્સ નીતિ અપનાવી છે અને તેના પરિણામો પણ મળવા લાગ્યા છે. તેમણે કહ્યું હતું કે, સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનાં ઉદ્દેશને હાંસલ કરવા માટે આ જરૂરી છે. અમિત શાહે કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ તે મહત્વનું હતું કારણ કે "ડ્રગના વેપારમાંથી જે ગંદા નાણાં ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ દેશ વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં થાય છે.
Centre has adopted zero tolerance policy towards narcotics and it is showing results: Home Minister Amit Shah
અમિત શાહે કહ્યું કે આજે દેશમાં માદક દ્રવ્યો સામેની લડાઈ સાચી દિશામાં આગળ ધપી રહી છે. નરેન્દ્ર મોદીજી 2014 માં વડા પ્રધાન બન્યા ત્યારે ભારત સરકારે ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલેરન્સની નીતિ અપનાવી હતી. શાહે કહ્યું હતું કે ડ્રગ્સ યુવા પેઢી પર પ્રતિકૂળ અસર કરે છે, તેને ઉધઈની જેમ નુકસાન પહોંચાડે છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ સમસ્યાને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સનું સેવન કરનારાઓ પર જ નહીં પરંતુ સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષા પર પણ વિપરીત અસર પડે છે.