તાલિબાનના કબજામાં રહેલો દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપે તારાજી સર્જી હતી. ત્યારે લોકોના ઘર પડી ગયા છે ઘણાએ પરિવાર ગુમાવ્યો ત્યારે 2500 લોકોના મૃત્યું થયાની સંભાવના છે.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના લીધે વિનાશ સર્જાયો
ભૂકંપની તીવ્રતા 6.1 નોંધવામાં આવી
2500 જેટલા લોકોના મૃત્યુ થયાની આશંકા
ભૂકંપથી તારાજી
ભૂકંપના ઝટકાથી ભારતના પાડોસી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ધરતી ધ્રુજી ઉઠી છે. આ ભુકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. આ ભૂકંપે અફઘાનિસ્તાનમાં ખુબ તારાજી ફેલાવી છે. અહી અંદાજીત 2500 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. જયારે ઘાયલોની સંખ્યા પણ હજારોમાં છે. યુએસ જીઓલોજીકલ સર્વે એ જણાવ્યું છે કે ભુકંપ નું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિલોમીટર દુર છે અને 51 કિલોમીટરની ઊંડાઈએ છે. ત્યારે હાલ ત્યાં હેલિકોપ્ટરની મદદથી રાહતની કામગીરી ચાલુ છે. દેશમાં આ પહેલા તાલીબાન દ્વારા ક્રૂર શાસનની શરૂઆત થઇ ત્યારથી દેશ ગરીબી અને ભૂખમરામાં જીવી રહ્યો હતો ત્યારે કુદરતે પણ તારાજી ફેલાવી હતી. આવી સ્થિતિમાં 3.8 કરોડની વસ્તી ધરાવતો આ દેશમાં શું સરખી રીતે બચાવ કામગીરી થઇ શકે છે ?
બધું જ ખત્મ થઇ ગયું
જ્યાં પણ જુઓ ત્યાં તબાહી જ જોવા મળી રહી છે લોકો મોતનું માતમ મનાવી રહ્યા છે. ઘરો બરબાદ થઇ ચુક્યા છે. માણસો મારી રહ્યા છે. પોતાના પણ ઘણા ઘર છોડીને ચાલ્યા ગયા છે. અહી કોમ્યુનિકેશન પણ મુશ્કેલથી થઇ રહ્યું છે કારણકે વધારે પડતા મોબાઈલ ટાવરો નીચે પડી ચુક્યા છે.
ખબર નથી જાણ પહેચાનના લોકો હજુ જીવિત છે કે નહી
ત્યાના એક વ્યક્તિ કહે છે કે અહી કોઈ સુવિધા નથી, બધું જ તબાહ થઇ ગયું છે. જે પણ થોડું જાજુ અમારી પાસે હતું એ બધું તબાહ થઇ ચુક્યું છે. જાણ પહેચાન વાળા લોકો હજુ જીવિત છે કે મૃત્યુ માપી ચુક્યા એ પણ ખબર નથી પડી.
હું અને મારા બાળકો રડી રહ્યા હતા
પક્તિકા પ્રાંતની ફાતિમા જણાવે છે કે અડધી રાતે આવેલ ભૂકંપમાં અમે બરબાદ થઇ ગયા. મારા બાળકો અને હું રડી રહ્યા હતા. પડોશીઓ પણ રાડો પડી રહ્યા હતા. ચારે તરફ બસ રોવાનો અવાજ અવાજ આવતો હતો. અમારા પાસે રહેવા માટે એક ઘર હતું તે પણ ભૂકંપમાં પડી ચુક્યું છે. આ ભૂકંપે લોકોના ઘર સાથે વિશ્વાસ પણ તોડી નાખ્યો છે.
પાકિસ્તાનના ઘણા શહેરમાં ભૂકંપનો અનુભવ થયો
રાતે 2 વાગીને 24 મિનીટ ભૂકંપનો ઝટકો આવ્યો હતો જેમાં પાકીસ્તાનની ઘણી જગ્યાઓએ ભૂકંપ અનુભવાયો હતો. આ ભુકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી
ભારતે કહ્યું મદદ માટે તૈયાર
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી એ ટ્વીટ કરીને જણાવ્યું " અફઘાનિસ્તાનમાં આવેલ ભયાનક ભૂકંપના પીડિતો અને તેના પરિવારો પ્રત્યે અમે સહાનુભુતિ દર્શાવીએ છીએ. અને જરૂરત પડશે તો સહાયતા કરવા માટે અમે તત્પરતા દાખવીએ છીએ.