Jamnagar BJP leaders Resignation: આગામી 28 એપ્રિલે યોજાનાર કાલાવડ APMCની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભંગાણ, 25થી વધુ આગેવાનોના રાજીનામાં
કાલાવાડ તાલુકા ભાજપમાં ભંગાણ
APMC ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો
ભાજપના 25થી વધુ આગેવાનોના રાજીનામાં
જામનગરના કાલાવાડ તાલુકા ભાજપમાં ભંગાણ સર્જાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ સભ્ય મુકેશ સાવલિયાના ભાજપમાં આગમન બાદ ભડકો થયો છે. મહત્વનું છે કે, આગામી 28 એપ્રિલના રોજ કાલાવડ APMCની ચૂંટણી છે. આ તરફ હવે APMCની ચૂંટણી પહેલા નવાગામના ભાજપના 25થી વધુ આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે.
જામનગરમાં કાલાવડ APMCની ચૂંટણી આગામી 28 એપ્રિલના રોજ યોજાનાર છે. જોકે આ પહેલા જ નવાગામમાં ભારતીય જનતા પાર્ટીના જુના અને પાયાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે એનું કારણ એ છે કે, કોંગ્રેસ સભ્ય મુકેશ સાવલિયાનું ભાજપમાં આગમન. જેને લઈ હવે નવાગામના ભાજપના 25થી વધુ આગેવાનોએ રાજીનામાં આપી ડેટ રાજકીય ગરમાવો આવી ગયો છે.
શું કહ્યું નવાગામના સરપંચે ?
સમગ્ર મામલે નવાગામના સરપંચ સંજય ચોવટિયાએ કહ્યું કે, કાલાવડ તાલુકા ભાજપનાં પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, મેઘજીભાઈ ચાવડા અને હસુભાઈ આ ત્રણ લોકોએ અમારા ગામના મુકેશ સાવલિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો એનો અમને કઈ વિરોધ નથી. પરંતુ અમને ગામના કોઈ પણને વિશ્વાસમાં લીધા વિના અને જાણ પણ કરી નથી. અમને જાણ કરવી જરૂરિયાત છે. અને હસુભાઈ શહેરના પ્રમુખ છે તો તાલુકામાં શું કામ રસ લેવો જોઈએ?