દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય દરરોજ લગભગ 20,000 આસપાસ નવા કેસો સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,880 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. આ તરફ કોરોનાને કારણે 60 દર્દીઓનાં મોત થયાનું પણ સામે આવ્યું છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,49,482એ પહોંચી છે.
વિશ્વભરમાં કોરોનાના વધી રહેલા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં ફરી એકવાર કોરોનાના 21 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,880 નવા કેસ નોંધાયા છે. આ સાથે 60 લોકોએ જીવ ગુમાવ્યો. આ સિવાય કોરોનાથી સંક્રમિત 21 હજાર 219 દર્દીઓ સાજા પણ થયા છે.
India records 21,880 new Covid19 cases and 60 deaths in the last 24 hours; Active cases at 1,49,482 pic.twitter.com/HCE6x3uNiW
ભારતમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે 18,294 લોકો કોરોનાની સારવાર દરમ્યાન સાજા થયા હતા. આ તરફ કોરોનાને કારણે 45 લોકોના મોત થયા હતા.
કોરોના કેસમાં સતત વધારો ચિંતાજનક
દેશમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હોઇ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વિગતો મુજબ દેશ અને ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય સતત કેસો વધી રહ્યા છે. જેને લઈ હવે આરોગ્ય તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.