કેરળમાં સતત 4 દિવસથી 20 હજારથી વધુ કેસ આવી રહ્યા છે
કેરળમાં કોરોનાના કેસોએ મચાવ્યો હાહાકાર
કેરળમાં સતત ચોથા દિવસે કોરોના સંક્રમણના 20 હજાર કેસ
રાજ્યમાં સંક્રમણનો દર 13.61 ટકા
કેરળમાં વધતા કોરોના વાયરસના કેસોએ દેશની ચિંતા વધારી દીધી છે. કારણ કે દરરોજે નોંધાતા નવા કેસોમાં લગભગ 50 ટકા કેસ આ રાજ્યમાંથી જ આવી રહ્યા છે. કેરળમાં કોરોના ખૂબ જ ભયાનક થતો જઈ રહ્યો છે. કેરળમાં કોરોના કઈ હદ સુધી ભયાનક થતો જઈ રહ્યો છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે પાછલા 4 દિવસમાં સતત કોરોનાના કેસ 20 હજારથી વધુ આવી રહ્યા છે. કેરળમાં શુક્રવારે સતત ચોથા દિવસે કોરોના સંક્રમણના 20 હજારથી વધુ કેસ સામે આવ્યા અને 116 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં સંક્રમણનો દર 13.61 ટકા છે. ત્યાં જ દેશમાં કોરોનાના કેસોની વાત કરીએ તો ચાર પાછલા ચાર દિવસથી સતત 40 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.
કરેળમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે કોરોના સંક્રમણ
રાજ્ય સરકારે એક પ્રકાશનમાં કહ્યું કે સંક્રમણના 20,772 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 33,70,137 થઈ ગઈ છે. 116 દર્દીઓના મોતની સાથે મૃતકોની સંખ્યા 16,701 સુધી પહોંચી ગઈ છે. 14,651 લોકોના સંક્રમણથી સાજા થયા છે. જ્યાર બાદ સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 31,92,104 થઈ ગઈ છે. જણાવી દઈએ કે આજ અને કાલે કેરળમાં સંપૂર્ણ પણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 1,52,639 ટેસ્ટ કરવામાં આવ્યા
સરકારે જણાવ્યા અનુસાર કેરળમાં છેલ્લા 24 કલાકમાં 1,52,639 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સંક્રમણ દર 13.61 ટકા છે. અત્યાર સુધી 2,70,49,431 ટેસ્ટની તપાસ કરવામાં આવી છે. જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 1,60,824 છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની એક ટીમે ગઈ કાલે કેરળ પહોંચી હતી.
કેરળમાં સ્થિતિ હાલ ચિંતાજનક
આ વચ્ચે સંશોધકોનું કહેવું છે કે કેરળમાં આર-ફેક્ટરમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય સંક્રમણના નવા કેસો થોડા અઠવાડિયાઓ સુધી વધારે આવશે. આર-ફેક્ટર એવો સંકેત આપે છે કે કઈ ગતીથી દેશમાં સંક્રમણનું પ્રસાર થઈ રહ્યું છે અને ચેન્નાઈના ગણિતીય વિજ્ઞાન સંસ્થાનના જણાવ્યા અનુસાર કેરળમાં સ્થિતિ હાલ ચિંતાજનક રહેશે. આર-વેલ્યુ જેટલી ઓછી હશે, તેટલી જ ઝડપથી મહામારી ફેલાવાતી રોકી શકાશે. આજ રીતે આર-વેલ્યૂ એકથી વધારે છે તો તેનો મતલબ છે કે સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે .