કચ્છની સરહદે ફરીએક વાર નાપાક સાઝીશનો પર્દાફાશ થતો હોય તેમ BSF એ વધુ સાત પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે.પાકિસ્તાન બોર્ડર નજીકથી વધુ બોટ ઝડપાતા ચકચાર
કચ્છના હરામીનાળામાં વધુ સાત બોટ ઝડપાઈ
પાકિસ્તાની બોટ પર BSFએ કરી લીધો કબજો
દુશ્મન દેશના 'નાપાક' ઇરાદાઓનો પર્દાફાશ
કચ્છની સરહદે ફરીએક વાર નાપાક સાઝીશનો પર્દાફાશ થતો હોય તેમ BSF એ વધુ સાત પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે.પાકિસ્તાન બોર્ડર નજીકથી વધુ બોટ ઝડપાતા ચકચાર મચી ગઈ છે.આ બોટ્સ હરામીનાળા પાસેથી ઝડપાઈ છે. ઉલીખ્નીય છે કે, ગત સપાહે જ અંદાજે 11 જેટલી બોટ ઝડપાઈ હતી જેના પરિણામે BSF ગુજરાત ફ્રન્ટીયરના આઈજી જી.એસ. મલિક તાત્કાલિક કચ્છ રાવના થયા હતા. BSF એ પણ કચ્છના હરામીનાલા નજીક 'ગશ્ત'વધારી દીધી હોવાના પરિણામે વધુ સાત બોટ્સ ઝડપાઈ છે.
હરામીનાળા પાસેથી વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ
કચ્છની સરહદ પર બીએસએફ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો બીએસએફના જવાનોને મોટી સફળતા મળી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટો બીએસફ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. હરામીનાળા વિસ્તારનો આ બનાવ છે જ્યા બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની મરીન દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ BSFના સર્ચ ઓપરેશન દરમિયાન બોટ ઝડપાઇ
BSFના સર્ચ ઓપરેશનમાં 9 પાકિસ્તાની બોટ મળી આવી છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોનુ અપહરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં પાકિસ્તાન તરફથી અવળચંડાઈ પણ કરાઈ રહી છે. ગત દિવસે પાકિસ્તાન મરિન દ્વારા IMBL નજીકથી 10 બોટ સહિત 60 માછીમારોના અપહરણ થયા હતા.
ભારતીય માછીમારોના અપહરણથી લોકોમાં રોષનો માહોલ
જોકે પાકિસ્તાન મરિન દ્વારા ઓફિશિયલ અહેવાલ જાહેર કરી માત્ર 6 ફિશીંગ બોટ અને 36 માછીમારો જ ઝડપાયા હોવાની વાત સ્વિકારી હતી. જેથી અન્ય 4 બોટ અને 24 માછીમારો ક્યાં ગુમ થયા તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સાથે સાથે ભારતીય માછીમારોના અપહરણથી માછીમારોના પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
9 પાકિસ્તાની બોટ ઝડપાઈ
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ પાકિસ્તાની માછીમારો હરામીનાળા વિસ્તારમાં ઘૂસણખોરી કરી ગયા છે તેવી સૂચના મળી હતી. જેથી બીએસએફ દ્વારા તુરંત આ મામલે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમા પાકિસ્તાની માછીમારોની 9 બોટ ઝડપાઈ આવી છે. જેથી હવે બીએસએફ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક માસ પૂર્વે જ સરક્રીક પાસેથી ત્રણ બોટ સહિત એક પાક માછીમાર ઝડપાયો હતો. ત્યાંજ ફરીથી 11 પાકિસ્તાની બોટ ઝડપાતા બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરના આઈજી જી.એસ. મલિક પોતાની તમામ વ્યસ્તતાઓને દરકિનાર કરી કચ્છ રવાના થયા હતા.