દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોની સમસ્યામાં વધારો
અનેક જિલ્લામાં પ્રતિબંધ અને નાઈટ કર્ફ્યૂની જાહેરાત છતાં અહીં કેસ વધ્યા
મહારાષ્ટ્રમાં આજે 23 હજારથી વધારે કેસ નોંધાયા છે
અનેક જિલ્લામાં પ્રતિબંધ અને નાઈટ કર્ફ્યૂની જાહેરાત છતાં અહીં કેસ વધ્યા
મહારાષ્ટ્રમાં આજે 23 હજારથી વધારે કેસ નોંધાયા છે. અનેક જિલ્લામાં પ્રતિબંધ અને નાઈટ કર્ફ્યૂની જાહેરાત છતાં મહારાષ્ટ્રમાં મામલા રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા. મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની બીજી લહેર આવી છે. આ સંબંધમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. રાજ્યમાં ગત અઠવાડિયે કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રની ટીમ પહોંચી હતી. આ ટીમથી મળતી જાણકારીના આધાર પર સચિવે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. કેન્દ્રએ રાજ્યમાં સાવધાનિઓની બેદરકારી અને નબળી વ્યવસ્થાને ટાંકી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારોની સમસ્યામાં વધારો
કોરોના વાયરસના વધતા તેજ મામલાએ આ સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સમસ્યામાં વધારો કર્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત તે રાજ્યોમાં તેજીની સાથે નવા મામલા વધી રહ્યા છે જ્યાં અત્યાર સુધી મામલા ઓછા હતા. આ ક્રમમાં પંજાબમાં ગત 24 કલાકમાં 2, 309 મામલા સામે આવ્યા છે. આ દરમિયાન 1274 લોકો રિકવર થયા અને 35 લોકોનું મોત નિપજ્યું છે. પંજાબ ઉપરાંત ગુજરાત, કર્ણાટક અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નવા મામલાની સંખ્યા વધી છે.
શું છે ગુજરાતની સ્થિતિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહ રાજ્ય ગુજરાતથી આજે 1122 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે. 775 લોકો સાજા થયા છે અને 3 લોકોના મોત થયા છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ 2 કલાક માટે વધારી દેવાયો છે.
દિલ્હી અને કર્ણાટકમાં આવ્યા કેટલાક કેસ
ત્યારે કર્ણાટક 1275 નવા મામલા સામે આવ્યા છે રિકવરી થનારાની સંખ્યા 479 છે અને 4 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 536 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 319 લોકો રિકવર થયા છે. 3 લોકોના મોત થયા છે.