જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ લાલચોક પાસે એકવાર ફરીથી સુરક્ષાદળોને ટાર્ગેટ બનાવ્યા હતા. શ્રીનગરના હરિ સિંહ સ્ટ્રીટ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંકી જેમાં 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સાથે 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આતંકીઓએ છેલ્લા 15 દિવસમાં બીજી વખત ગ્રેનેડ એટેક કર્યો છે.
શ્રીનગરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો
15 દિવસમાં બીજી વખત ગ્રેનેડ એટેક કર્યો
સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરાયો ગ્રેનેડ હુમલો
15થી વધુ લોકો થયા ઘાયલ, 1નું મોત
Jammu and Kashmir: 10 injured in a grenade attack in a market on Maulana Azad road in Srinagar.More details awaited. pic.twitter.com/ZUiWlV5E60
કાશ્મીરના શ્રીનગરમાં આતંરીઓએ ફરી એક વાર સુરક્ષાદળને ટાર્ગેટ કર્યા છે અને ગ્રેનેડ હુમલો કર્યો છે. હરિસિંહ સ્ટ્રીટ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો જેમાં 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે આતંકીઓએ 15 દિવસમાં બીજી વખત ગ્રેનેડ હુમલો કર્યો છે.
હુમલાની ઘટનાઓ સતત ચાલુ
આ પહેલાં 29 ઓક્ટોબરે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના એક પેટ્રોલ પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો. એક્ઝામ સેન્ટર પાસે આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું પરંતુ તેમાં કોઈ ઘાયલ થયું ન હતું. એન્કાઉટર સમયે 5 સ્ટુડન્ટ્સ પણ ફસાયા હતા. જેને ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
દિવાળી પહેલાંથી હુમલા શરૂ
દિવાળીના એક દિવસ પહેલાં એટલે કે 26 નવેમ્બરે પણ શ્રીનગરના કાકાસરાએમાં CRPFના જવાનો પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો અને આતંકીઓ ફરાર થઈ ગયા હતા. 24 ઓક્ટોબરે કુલગામના CRPF કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યો, જેમાં CRPFનો 1 જવાન ઘાયલ થયો હતો. 7 ઓક્ટોબરે થયેલા એક હુમલામાં 7 લોકો ઘાયલ થયા હતા.