રાજ્યના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં યુપીમાં સક્રિય કેસની સંખ્યા 55 હજારથી વધુ થઈ ગઈ છે. રાજધાની લખનૌમાં કોરોનાની સૌથી ખરાબ પરિસ્થિતિ છે.
કોરોના કેસોને લઈને વધી રહી છે ચિંતા
ઉત્તર પ્રદેશમાં સંક્રમણ વધતાં કડક પ્રતિબંધો લાગૂ કરી દેવાયા છે
લોકોની બેદરકારીના પગલે કોરોના વધુ વકરે તેવી શક્યતા
ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 48 લોકોનાં મોત થયાં છે જ્યારે કે 12,787 લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધી 9085 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સક્રિય કેસની સંખ્યા 58,801 છે અને રાજધાની લખનૌમાં કોરોનાની સૌથી ખરાબ પરિસ્થિતિ બેકાબૂ છે. અગાઉના બધા રેકોર્ડ અહીં તૂટી ગયા છે. છેલ્લા 24 કલાકમાં, 4059 નવા કેસ નોંધાયા છે, અને 23 દર્દીઓ ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, કુલ 1301 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ કોરોનાના કેસમાં પરિસ્થિતિ બહુ સારી નથી. પ્રયાગરાજ, વારાણસી અને કાનપુરમાં પણ કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે.
રાજધાની લખનૌ હવે કોરોનાગ્રસ્ત બની ચૂકી છે
રાજધાની લખનૌમાં કોરોનાની સ્થિતિ એવી છે કે પ્રખ્યાત કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ અને 40 ડોકટરોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. દેશની આ 116 વર્ષ જૂની તબીબી યુનિવર્સિટીમાં, કોરોના વાયરસના આ વિસ્ફોટથી લોકોમાં હડકંપ મચી ગયો છે. હકીકતમાં, યુપીના કુલ કોરોના દર્દીઓમાં ત્રીજા કરતા વધારે ભાગના દર્દીઓ લખનૌમાંથી મળી રહ્યા છે. બધી સૂચનાઓ અને કડક પ્રતિબંધો લાગૂ હોવા છતાં, અહીંના લોકો કોવિડ નિયમોના પ્રોટોકોલનું પાલન કરતા હોય તેવું લાગતું નથી.
રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કોરોના કેસને નિયંત્રિત કરવા માટે અસરકારક વ્યૂહરચના બનાવવા સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે 11 એપ્રિલે મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિથી લઈને 14 એપ્રિલે બાબાસાહેબ ડો. ભીમ રાવ આંબેડકરની જન્મજયંતિ સુધી 'ટીકા ઉત્સવ' રાજ્યમાં યોજવામાં આવશે.