કોરોનાના કહેરની વચ્ચે ઉત્તરાખંડમાં સંકટ વર્તાઈ રહ્યું છે. અહીં કોરોનાનો આંકડો કરાવનારો છે. ગત 10 દિવસમાં 9 વર્ષથી ઓછી ઉમંરના 1000 બાળકો કોરોના ગ્રસ્ત થયા છે. બાળકોની સારવાર માટે વિભિન્ન હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ગામમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મોત પણ થઈ રહી છે. નૈનીતાલના એક ગામમાં 2 અઠવાડિયામાં 30 લોકોના મોત થયા છે.
પ્રતિ 1 લાખ લોકો પર 771 એક્સિવ કેસ
ઉત્તરાખમંડમાં પ્રતિ 1 લાખ લોકો પર 771 એક્સિવ કેસ છે. જે યુપીમાં પ્રતિ 1 લાખની સરખામણીએ 7 ગણા છે. ઉત્તરાખંડમાં 79, 379 એક્ટિવ કેસ છે. અને 4426 લોકોના મોત થયા છે. બીજી તરફ રુડકીના એક ગામમાં 2 અઠવાડિયામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. એક ગામમાં એકલા એક ગામમાં જ મોત થવાથી પ્રશાસનમાં હડકંપ મચ્યો છે. જો કે પ્રશાસને લિબરહેરી ગામના મોતની સંખ્યા નથી જણાવી. પરંતુ અહીં અનેક લોકો માર્યા ગયા છે. એક સરકારી અધિકારીઓનું કહેવુ છે કે મોતના પાક્કા આંકડા જાણવા માટે રાજસ્વ, સ્વાસ્થ્ય અને પોલીસ વિભાગની ટીમ લગાવવામાં આવી છે.
20માંથી 14 કોરોના ગ્રસ્ત
સંક્રમણની માર પહાડના પૌડી જિલ્લામાં દેખાઈ રહી છે. નૈનીતાલ જિલ્લાના ઓખલકાંડા બ્લોકના કૂકના અને ઘૈના ગ્રામ સભાઓમાં 14 લોકો કોરોના ગ્રસ્ત મળ્યા છે. કુલ 20ના ટેસ્ટ થયા હતા. અહીં લગ્ન જેવા પ્રસંગોમાં સંખ્યાને લઈ કોઈ પ્રતિબંધ નથી. બે ગ્રામ સભાઓમાં લગભગ 100 પરિવાર છે. જેમાં દર ઘરમાં 2-3 લોકોને તાવ છે. પૌડી જિલ્લામાં એકેશ્વર બ્લોકના ઈડા ગામ 10 લોકોની એક સાથએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી. આ તમામ લોકો શંકાસ્પદ દર્દીના અંતિમ સંસ્કારમાં ગયા હતા.
ગ્રામીણ વિસ્તારની સ્થિતિ
સીએમઓમાંથી મળતી જાણકારી મુજબ 10 મેના રોજ પૌડી જિલ્લામાં એકેશ્વર બ્લોકના ઈડા ગામ 10 લોકોની એક સાથએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી. શનિવારે અલમોડામાં 2428, બાગેશ્વર 1145, ચમોલી 2452, ચંપાવત 1400, નૈનીતાલ 7264, પૌડી ગઢવાલ 6090, પિથૌરાગઢ 1874, રુદ્રપ્રયાગમાં 2221, ટિહરીમાં 5719 તથા ઉત્તરકાશી 2288 એક્ટિવ કેસ છે.
ઉત્તરાખંડમાં કેસની સંખ્યા
ઉત્તરાખંડમાં 4496 નવા કેસ મળ્યા છે. ગત 24 કલાકમાં 188 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2,87,286 થઈ છે. 1248 નવા મામલા દહેરાદુન જિલ્લામાં મળ્યા. જ્યારે હરિદ્વારમાં 572, ટિહરીમાં 498,ઉદ્ધમસિંહ નગરમાં 393, પૌડીમાં 391, રુદ્રપ્રયાગમાં 356 અને ઉત્તરકાશીમાં 351 વધારે લોકોના સંક્રમિત હોવાની ખરાઈ થઈ. રાજ્યમાં અત્યાર સુધીમાં 4811 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. 78,802 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 198530 દર્દી સાજા થયા છે.