ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ વધુ એક માસ્ટરસ્ટ્રોક લગાવવા જઇ રહી છે. જેમાં આવતીકાલે 100થી વધુ અધ્યાપકો ભાજપના રંગે રંગાશે.
રાજ્યનાં 100થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાશે
PM મોદીએ અધ્યાપકો વકીલો અને તબીબોને ભાજપમાં જોડાવવા કરી હતી અપીલ
વર્ષ 2022ની ચૂંટણી પહેલા ભાજપનો ભરતીમેળો બન્યો પ્રબળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભરતી મેળાનો સીલસીલો યથાવત્ છે. ભાજપમાં વિવિધ નેતાઓ અન્ય પક્ષમાંથી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભાજપનો આજે વધુ એક ભરતી મેળો યોજાયો છે. ચૂંટણી પહેલા ભાજપનો બુદ્ધિજીવી વર્ગને જોડવાના પ્રયાસ છે. ડૉક્ટર બાદ અધ્યાપકો ભાજપમાં જોડાશે. પ્રધાનમંત્રીની અપીલ બાદ પ્રદેશ ભાજપે કમરકસી છે. ત્યારે આવતીકાલે 100થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાશે. PM મોદીએ અધ્યપકો વકીલો અને તબીબોને ભાજપમાં જોડાવા અપીલ કરી હતી. 2022ની ચૂંટણી પહેલા ભાજપનો ભરતીમેળો પ્રબળ બન્યો છે.
ભાજપમાં જોડાયા હતા 200થી વધુ ડૉક્ટર
9 મેના રોજ ગાંધીનગરના કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 200થી વધુ નામાંકીત તબીબો ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સિવિલમાંથી રાજીનામું આપનારા તબીબો સહિત અન્ય ડૉક્ટરો ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ તબીબોને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. સિવિલમાંથી રાજીનામું આપનારા પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વી.જે. મોદી, પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓએસડી ડો. પ્રભાકર તેમજ બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો. પ્રણય શાહ ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.
અમારી પાર્ટી કેડર સક્રિય અને ઊર્જાવાન હોય : સીઆર પાટીલ
આ ચૂંટણીઓની તૈયારીમાં ભાજપે તેના કાર્યકરોને 4 મે પછીના છ મહિના સુધી સતત કામ કરવાનું કહ્યું છે. આ વર્ષે યોજાયેલી પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપ નેતૃત્વએ તેના કાર્યકરોને ગુજરાતમાં આગામી મોટી ચૂંટણીની તૈયારી કરવા કહ્યું છે.સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, સીઆર પાટીલે કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે અમારી પાર્ટી કેડર સક્રિય અને ઊર્જાવાન હોય. આ એક મહત્વનું કારણ છે કે 1 મે જાહેર રજા હોવા છતાં અમે 1 થી 4 મે સુધી કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું નથી. ગુજરાત ચૂંટણી જંગ માટે પાર્ટીના કાર્યકરોનો આ એકમાત્ર બ્રેક હતો.