ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુ અને વાયરલ તાવનો કહેર વધી રહ્યો છે. ફક્ત ફિરોઝાબાદમાં અત્યાર સુધી 75 લોકોના મોત થયા છે. મથુરામાં 17, મેનપુરીમાં ત્રણ, કાસગંજમાં બે લોકો ડેન્ગ્યુ અને વાયરલનો શિકાર થયા છે.
ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુ અને વાયરલ તાવનો કહેર વધ્યો
ફિરોઝાબાદમાં અત્યાર સુધી 75 લોકોના મોત
કાનપુરમાં વાયરલ તાવના કારણે 7 દિવસમાં 10 લોકોના મોત
કાનપુરમાં સાત દિવસમાં 10 લોકોના મોત
ઉત્તર પ્રદેશના ગોંડામાં દરરોજ ત્રણ હજારથી વધુ શંકાસ્પદ દર્દીઓ શંકાસ્પદ તાવથી પીડિત હોસ્પિટલોમાં જઈ રહ્યાં છે. જ્યારે કાનપુરમાં વાયરલ તાવના કારણે સાત દિવસમાં 10 લોકોના મોત થયા છે.
ચાર નિર્દોષ સહિત 14 લોકોના મોત
ગુરૂવારે ચાર નિર્દોષ સહિત 14 લોકોના મોત થયા છે. જેમાંથી ફિરોઝાબાદમાં 11, મેનપુરીમાં બે અને મથુરામાં એક દર્દી સામેલ છે. તો ફિરોઝાબાદમાં મૃત્યુઆંક 75 પર પહોંચી ગયો છે. જ્યારે ડીએમ ચંદ્રવિજય સિંહે બેદરકારી દાખવતા પીએચસી સેલઈના પ્રભારી તબીબી અધિકારી ડૉ. ગિરીશ શ્રીવાસ્તવ, પ્રભારી તબીબી અધિકારી ડૉ. સૌરભ પ્રકાશ અને જાહેર આરોગ્ય નિષ્ણાંત ડૉ. રૂચિ યાદવને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યાં.
કાનપુરમાં બિમારીનો કહેર ફરીથી વધ્યો
કાનપુરમાં બિમારીનો કહેર ફરીથી વધવા લાગ્યો છે. ડેન્ગ્યુ અને વાયરલ તાવથી સાત દિવસમાં 10 લોકોના મોત થયા છે. જેમાંથી પાંચ દર્દીઓના છેલ્લાં 24 કલાકમાં મોત થયા છે. જેમાં બે બાળકો સામેલ છે. કલ્યાણપુરના કુરસૌલી ગામમાં બુધવારે તાવથી બીજા દર્દીઓના પણ મોત થયા છે. આ ગામમાં પહેલા એક કિશોરીનું તાવથી મોત થયુ છે.
કાનપુરમાં વાયરલ તાવ અને ડેન્ગ્યુના ભરડામાં 30 હજાર લોકો
કાનપુરમાં સામાન્ય વાયરલ તાવ અને ડેન્ગ્યુની ઝપેટમાં શહેરના લગભગ 30 હજાર લોકો છે. વાયરલ તાવના કેસો દરેક ઘરમાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો અને તબીબોના દવાખાનામાં ઓપીડીમાં અત્યારે આશરે 75 હજાર દર્દીઓ દાખલ છે. જેમાંથી કેટલાંક દર્દીઓની સારવાર ચાલી રહી છે.
60 હજાર દર્દીઓમાંથી અડધા દર્દીઓ વાયરલ ફીવરના
ઓપીડીમાં આવતા નવા 60 હજાર દર્દીઓમાં અડધા દર્દીઓ વાયરલ ફીવરના છે. જેમાંથી ડેન્ગ્યુના પણ દર્દીઓ છે. પરંતુ યોગ્ય તપાસના અભાવને કારણે પુષ્ટિ થઈ નથી. મોટાભાગના દર્દીઓ ઘરમાં રહીને સારવાર કરાવી રહ્યાં છે. ગંભીર દર્દીઓ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. હેલટ, ઉર્સલા, કેપીએમ હોસ્પિટલ, કાશીરામ હોસ્પિટલ તથા શહેરના દરેક નર્સિગહોમ અને શેરીઓમાં દવાખાના ચલાવી રહેલા ખાનગી તબીબો પાસે 75 હજારથી વધુ દર્દીઓની દરરોજ ઓપીડી થાય છે.