મ્યાનમારમાં ગુરૂવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જ્યાં ખાણમાં ભૂસ્ખલન થવાને કારણે 100થી વધારે લોકોના મોત થયાં હતા. ઉત્તરી મ્યાનમારમાં ભુસ્ખલન થયાં બાદ 100થી વધુ શ્રમિકોના શબ બહાર કાઢવામાં આવ્યા હતા.
મ્યાનમારમાં ગુરૂવારે એક મોટી દુર્ઘટના
ભૂસ્ખલન થતાં 113 શ્રમિકોના મોત
ન્યૂઝ એજન્સી રાયટર્સ અનુસાર મ્યાનમાર ફાયર સર્વિસીસ વિભાગે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે કાચીન રાજ્યમાં ચીની સરહદ નજીક ભારે વરસાદ બાદ કામદારો કાચીન રાજ્યના જેડ-સમૃદ્ધ હાપાકાંત ક્ષેત્રમાં પથ્થરો જમા કરી રહ્યા હતા. જ્યાં ખાણકામના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે ખાણ ખનીજ લોકોનાં મોત અત્યાર સુધીમાં 113 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
પહેલા પણ બની ચુકી છે આવી દુર્ઘટનાઓ
બચાવ ટીમનું કહેવું છે કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ કાદવનો મોટા પાયે જોવા મળ્યો હતો અને તેની નીચે પથ્થરો એકત્રિત કરી રહેલા લોકોને દટાયા હતા. આપને જણાવી દઇએ કે હાપાકાંતની નબળી ખાણોમાં જીવલેણ ભૂસ્ખલન અને અન્ય અકસ્માતો સામાન્ય છે.
એક જ મિનિટમાં બની દુર્ઘટના
આ વિસ્તારમાં થયેલા અકસ્માતનો સાક્ષી બનેલા 38 વર્ષીય મૂન ખંગે કહ્યું કે તેણે કચરાનો ઢગલો જોયો, જે ધસી પડવાને આરે હતો અને જ્યારે તે એક ફોટો લેવા જઇ રહ્યો હતો, ત્યાં લોકોને નાસતા-ભાગતા જોયા. તેણે કહ્યું કે એક મિનિટમાં જ બધા તેની નીચે દટાઇ ગયા. ત્યાં કાદવમાં ફસાયેલા લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા પરંતુ કોઈ તેમને મદદ કરી શક્યું ન હતું.