પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આશરે 2 લાખ લોકો દર્શન માટે પહોંચ્યા હતા, ખાનગી વાહનોની એન્ટ્રી બંધ હોવાથી ST બસમાં મુસાફરોની ભીડ જોવા મળી હતી
યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થીઓનો અભૂતપૂર્વ ઘસારો
અંદાજીત 1 લાખ દર્શનાર્થીઓ ઉમટ્યા
ST બસમાં બેસવા માટે લાંબી કતારો જોવા મળી
ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો. અંદાજીત 1 લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. ST બસમાં બેસવા માટે લાંબી કતારો જોવા મળી હતી. આ માટે STના વિભાગીય નિયામક જાતે જ વહેલી સવારથી વ્યવસ્થામાં લાગ્યા હતા. કારણ કે, પાવાગઢમાં ખાનગી વાહનો માટે પ્રવેશ બંધી છે. માત્ર ST બસથી પ્રવાસીઓ જ આવન-જાવન કરી રહ્યા છે. 45 ST બસની અત્યાર સુધી 1,000થી વધુ ટ્રીપો થઈ છે. પાવાગઢમાં નવરાત્રી કરતા પણ આજે વધારે ભક્તોનું આગમન થયું હતું.
અમદાવાદના મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડૉ.સાહિલ શાહે ડેલ્ટા, ડેલ્ટા પલ્સ અને કપ્પા વેરિયન્ટ કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ગણાવ્યા છે જો કે હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એવામાં ગુજરાતમાં 5 જેટલા કપ્પા વેરિયન્ટના કેસ સામે આવતા તબિબોની ચિંતા વધી ગઈ છે. મહત્વનું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મે મહિનામાં ન્યુ મ્યૂટન્ટને ‘કપ્પા’નું નામ આપ્યું હતું. જેના વેરિયન્ટ યુકેમાં પણ જોવા મળ્યા હતા
આગામી તહેવારને લઇ ભીડ પડી શકે છે ભારે
શનિવારે આરોગ્ય વિભાગે જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાતમાં પહેલી વખત કોરોનાના કપ્પા વેરિયન્ટના કેસ સામે આવ્યાં છે. જેમાં ગુજરાતમાં ત્રણ કેસ અને ગોધરા અને મહેસાણામાં પણ કપ્પા વેરિયન્ટનો એક-એક કેસ સામે આવ્યો છે. રાજ્યમાં પહેલી વાર કપ્પા વેરિયન્ટ સામે આવતા જ આરોગ્ય વિભાગ સાબદું બન્યુ છે.
ઘરમા જ તહેવાર ઉજવવા તબીબોની અપીલ
આરોગ્ય વિભાગ દ્વારા કપ્પા વેરિયન્ટ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં અને વિસ્તારોમાંથી કેસ સામે આવ્યા છે ત્યાં પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે કપ્પા વેરિયન્ટને રોકવા તેને ફેલાતો અટકાવવા માટે વેક્સિનેશની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવું નિષ્ણાત ડોક્ટરો જણાવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં આજે રવિવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેને લઇને વહેલી સવારથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં પશ્ચિમના સેટેલાઇટ, બોડકદેવ, શિવરંજની, શ્યામલ, એસ. જી. હાઇવે, સોલા, મેમનગર, ઘાટલોડિયા, બોપલ, આંબલી, ચાંદખેડા, ચાંદલોડિયા, જીવરાજ પાર્ક, સાયન્સ સીટી, વસ્ત્રાપુરમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરના પૂર્વમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
જેમાં મણિનગર, ઇસનપુર, નારોલ, બાપુનગર, નરોડ, નિકોલ, દિલ્હી દરવાજા, એરપોર્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.બોડકદેવ, વસ્ત્રાપુર અને થલતેજ વિસ્તારમાં વરસાદ વરસાદ પડ્યો છે. વરસાદના આગમનથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જ્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.