1 માર્ચથી દેશભરમાં અડધાથી વધારે એટીએમ બંધ થઇ શકે છે. આવો દાવ દેશભરમાં તમામ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમને સંચાલિતક કરનાર સંસ્થા કેટમીએ કર્યો છે. કેટમીએ આ સ્થિતિથી બહાર આવવા માટે સરકાર અને ભારતીય રિઝર્વ બેંક એટીએમથી લેણદેણ પર લાગતી ફીને વધારવાનું મંતવ્ય પણ આપ્યું છે.
એટીએમ બંધ થવાથી ખતમ થઇ જશે નોકરીઓ
કેટમીના નિદેશકે જણાવ્યું કે એટીએમ બંધ થવાથી હજારો લોકોની નોકરીઓ જશે સાથે જ સરકારના નાણાકીય સમાવેશન કરવાના ઇરાદાથી ઝટકો લાગશે. એટીએમ સેવા આપનાર કંપનીઓને માર્ચ 2019 સુધી આશરે 1.13 લાખ એટીએમ બંધ કરવા પડી શકે છે. એમાં 1 લાખ ઓફ સાઇટ એટીએમ અને 15 હજાર વ્હાઇટ લેબલ એટીએમ છે.
બની શકે છે નોટબંધી જેવો માહોલ
કેટમીએ કહ્યું કે એટીએમ કંપનીઓ ધીરેધીરે એની સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છે કારણ કે એને ચલાવવામાં નુકસાન થઇ રહ્યું છે. હાલ નાના શહેરોમાં એટીએમને બંધ કરવામાં આવી રહ્યા છે. એવામાં એટીએમને બંધ કરવા પર આ શહેરોમાં નોટબંધી જેવી સ્થિતિ પેદા થઇ જશે.
સૌથી વધારે નુકસાન વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર્સને થઇ રહ્યું છે અને આ વધારે નુકસાન ઊઠાવી શકે નહીં. એના માટે એટીએમ ઇન્ટરચેન્જ જ આવકનું સાધન છે.
સંકટમાંથી બહાર આવવાની આ એક રીત છે.
1 લાખ એટીએમને બંધ થતા બચાવા માટે સરકાર અને ભારતીય રિઝર્વ બેંક શહેરી ક્ષેત્રોમાં હાલના એટીએમ પર લેણદેણની ફી વધારી દે તો ખતરો ટળી શકે છે.
કેટમીએ એટીએમ પર રોકડ લેણદેણ દરને 15 રૂપિયાથી વધારીને 18 રૂપિયા કરવાનું સૂચન આપ્યું છે. આ ઉપરાંત છઠ્ઠા ટ્રાન્ઝેક્શન પર ફી ને 20 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.