યુક્રેનમાં રશિયન ગોળીબારમાં માર્યા ગયેલા કર્ણાટકના યુવાન નવીન શેખરપ્પાના મૃતદેહને લઈને ભાજપના ધારાસભ્ય એક વાંધાજનક નિવેદન આપ્યું છે.
કર્ણાટકના ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડનું અત્યંત વાંધાજનક નિવેદન
નવીનનો મૃતદેહ વિમાનમાં ન લાવી શકાય
નવીનના મૃતદેહની જગ્યાએ બીજા આઠ લોકો આવી શકે
યુક્રેનમાં રશિયાના હુમલામાં મોતને ભેટેલો પોતાના પુત્ર નવીનના મૃતદેહને ભારત પાછો લાવવાની પિતાની માગની વચ્ચે ભાજપના એક ધારાસભ્યે વાંધાજનક નિવેદન આપીને વિવાદ છેડ્યો છે.
ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડેનું નિવેદન
યૂક્રેનમાં થયેલા રશિયન હુમલામાં આજે પણ સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. યૂક્રેનમાં રશિયન ગોળીબારમાં માર્યા ગયેલા મેડિકલ સ્ટુડન્ટ નવીન શેકરપ્પાના મૃતદેહને પાછો લાવવાના સવાલ પર કર્ણાટકના ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડે અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું છે. અરવિંદ બેલાડે જણાવ્યું હતું કે,નવીનની લાશની જગ્યાએ વિમાનમાં બીજા 8 લોકોને લાવી શકાય.
યુક્રેનમાં રશિયન હુમલામાં નવીનનું મોત થયું હતું
યુક્રેનમાં રશિયન હુમલામાં એક ભારતીય વિદ્યાર્થી નવીનનું મોત થયું હતું. નવીન કર્ણાટકનો રહેવાશી હતો.
કર્ણાટકના મુખ્યમંત્રીએ નવીનના પિતા શેખર ગૌડા સાથે વાત કરી હતી
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ મંગળવારે નવીનના પિતા શેખર ગૌડા સાથે ફોન પર વાત કરી હતી અને દુ:ખ વ્યક્ત કરીને પરિવારને સાંત્વના આપી હતી. બોમ્મઇએ કહ્યું કે નવીનના મૃતદેહને ભારત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે.