આંકડા દર્શાવે છે કે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાના એક વર્ષની અંદર સ્થાનીક યુવાનો આતંકવાદી બનાવવાના માર્ગ પર ચાલવાની ઘટનામાં વધારો થયો છે. આ દરમિયાન લગભગ 300 સ્થાનીય યુવાનો આતંકવાદી બન્યા છે. આમાંથી મોટા ભાગના ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે આતંકવાદીઓને જાણકારી સુવિધા પુરી પાડે છે અથવા સુરક્ષા દળો પર હુમલામાં સામિલ હોય છે.
મોટાભાગના યુવાનો ગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરે છે
આ યુવાનો આતંકીઓ સુધી ગુપ્ત માહિતી પહોંચાડે છે
ચાલુ વર્ષે અત્યાર સુધી 210 આતંકી હુમલાઓ થયા
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ખાલી દક્ષિણ કાશ્મીરના 16થી 25 વર્ષના 120 યુવા આતંકવાદી બન્યા છે. ઉત્તર કાશ્મીરમાં આ સંખ્યા ઓછી છે સરકાર આંકડા મુજબ જાન્યુઆરીથી ઓક્ટોબરની વચ્ચે 210 આતંકવાદીની ઘટના બની જે ગત 3 વર્ષની સરખામણીએ ઓછી છે. પણ 160 સ્થાનીક આતંકવાદી માર્યા ગયા છે . જે વર્ષ 2019માં 110 હતા.
જમ્મૂ-કશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ વિદેશી આતંકીઓ ઘટ્યા પણ હવે સ્થાનિક યુવાનો આતંકનો માર્ગ અપનાવી રહ્યા છે. હવે આતંકીઓ સેનાના જવાનો પર હુમલા કરી રહ્યા છે.
વર્ષ 2020માં સુરક્ષાદળોમાં 20 વિદેશી આતંકવાદીઓને ઠાર કર્યા છે. વર્ષ 2019માં આની સંખ્યા 30 હતી. આ વર્ષે 48 પોલીસકર્મી આતંકવાદી ઘટનાઓમાં શહીદ થયા છે. જ્યારે ગત વર્ષ આવા 80 હતા. તાજા મામલામાં રવિવારે મોહમ્મદ અશરફ ભટ નામના ઈન્સ્પેક્ટરને આતંકવાદીઓ ગોળી મારી હતી.