રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો આવી રહ્યો છે. ત્યારે આજે વધુ બે નેતાઓ ભાજપમાં જોડાયા છે
પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા ભાજપમાં જોડાયા
કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દલપત વસાવા ભાજપમાં જોડાયા
ભરૂચ કોંગ્રેસના અન્ય નેતાઓ ભાજપમાં જોડાયા
પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા ભાજપમાં જોડાયા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. 2 જૂનના રોજ હાર્દિક પટેલે કેસરીયો ધારણ કર્યો હતો. તો આજે ફરી ભાજપમાં ફરી વેલકમ પાર્ટી યોજાઈ હતી. ભાજપમાંથી ચૂંટણી લડી પ્રધાન બનેલા અને શકરસિંહ વખતે ભાજપમાંથી અલગ થઈ રાજપામાં જનાર અને ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ભરૂચ જિલ્લાના નેતા ખુમાનસિંહ વાસીયા ભાજપમાં જોડાયા છે. આ ઉપરાત ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દલપત વસાવા પણ ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે, આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે 12.30 કલાકે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો હતો.
ભાજપમાં જોડાયા બાદ પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ વાસિયાનું વિવાદિત નિવેદન
આજે પૂર્વધારાસભ્ય ખુમાનસિંહ વાસિયા ગાંધીનગર કમલમ ખાતે વિધિવત કેસરીયો ધારણ કર્યો હતો. જે બાદ તેઓએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં વિવાદીત નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં દારૂબંધી હટાવી લેવી જોઇએ.ખુમાનસિંહ કહ્યું કે, આજે પણ હું દારૂબંધી હટાવવાની તરફેણમાં છું.
Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા તેમજ જાણીતા આગેવાનો અને તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત | સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/0TwnEPEOvS
તાજેતરમાં જ હાર્દિક પટેલ અને શ્વેતા બ્રમ્હભટ્ટ જોડાયા ભાજપમાં
પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા અને કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ સુધીના રાજકીય પદ પર રહ્યા બાદ આજે હાર્દિક પટેલે નવા રાજકીય પથ પર સફર શરૂ કરી છે.. હાર્દિક પટેલ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં વિવિવત રીતે ભાજપમાં જોડાયા છે.. પખવાડિયા પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દિધું હતું અને આજે કમલમમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાયા હતા. કમલમ ખાતે પોતાના કાર્યકર્તાઓની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાયા હતાં..તા બ્રહ્મભટ્ટએ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી ધારણ કર્યા હતા. આમ, કોંગ્રેસના પૂર્વ નેતાઓ આજે ભાજપના રંગે રંગાયા હતા.
2022ની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર પ્લાન
2022ની રાજ્ય સરકારના મંત્રીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પહેલાં વિધાનસભા બેઠકોની જવાબદારી અને પ્રવાસની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. જવાબદારી અંતર્ગત ભાજપના તમામ વર્તમાન મંત્રીઓ 182 બેઠકો અંતર્ગત પ્રવાસ કરશે. આજથી 5 જૂન સુધી ભાજપના મંત્રીઓ પ્રવાસ કરશે. એમાંય ખાસ કરીને કોંગ્રેસના પ્રભાવવાળી બેઠકો પર મંત્રીઓ વિશેષ ધ્યાન આપશે. જેમાં જવાબદારીની જો વાત કરીએ તો દરિયાપુર વિધાનસભાની જવાબદારી રાજેન્દ્ર ત્રિવેદીને સોંપવામાં આવી તો કામરેજ બેઠકની જવાબદારી મંત્રી હર્ષ સંઘવીને સોંપાઇ છે. સાણંદ વિધાનસભા બેઠકની જવાબદારી મંત્રી ઋષિકેશ પટેલને સોંપાઇ તો નિઝર બેઠકની જવાબદારી મંત્રી પ્રદીપ પરમારને સોંપવામાં આવી છે.
જુઓ શું છે આ પેજ-પ્રમુખ ફોર્મ્યુલા?
ગુજરાત ભાજપમાં સૌપ્રથમ વખત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે પેજ-પ્રમુખની ફોર્મ્યુલાને અપનાવી હતી. ચુંટણી દરમિયાન ચુંટણીપંચ દ્વારા મતદારયાદી બહાર પાડવામાં આવે છે. જેમાં એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે. એ મતદાર યાદીમાંથી એક-એક પેજ-પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે, એક પેજ-પ્રમુખ માત્ર એના પેજના 30 મતદાર સાથે સીધો સંપર્કમાં રહે છે અને મતદાનના દિવસે આ 30 મતદારને મતદાન બુથ સુધી મત આપવા મોકલવા સહિતની જવાબદારી આ પેજ પ્રમુખના માથે હોય છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટીનો ભાજપનો જ કાર્યકર હોય છે, જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે. આમ ભાજપની આ તળિયામાંથી મતદરોના સંપર્કમાં રહેવાની ફોર્મ્યુલા અગાઉની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં એકદમ લાભદાય નીવડી હોવાથી હવે વિધાનસભાની ચુંટણીમાં પણ ભાજપ તેને અપનાવી રહ્યું છે.
2012થી કોગ્રેસના 60 જેટલાં મોટા નેતાઓ ભાજપમાં જોડાયા
સૌ પહેલાં નરહરિ અમીન કે જેઓ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા બાદ નરહરિ અમીન રાજ્યસભાના સાંસદ બન્યાં. ત્યાર બાદ જુઓ કયા-કયા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા? ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ગમે ત્યારે જાહેરાત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. એવામાં રાજ્યમાં 2012થી કોંગ્રેસના નેતાઓની ભાજપમાં એન્ટ્રી થવી એ સિલસિલો યથાવતપણે ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થયા છે.
વિગતે જો વાત કરીએ તો સૌ પહેલાં નરહરિ અમીન કે જેઓ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા બાદ નરહરિ અમીન રાજ્યસભાના સાંસદ બન્યાં. ત્યાર બાદ જુઓ કયા-કયા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા?
વિઠલ રાદડિયા પણ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. બાદમાં 2017માં વિઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયા મંત્રી બન્યા.
બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું. હાલ તેઓએ રાજીનામુ આપ્યું છે.
રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું. જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં.
જ્યારે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડલમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલાં દિલ્હી ભાજપમાં જોડાયા.
37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ
એ સિવાય આજે કોંગ્રેસનાં સગઠનમાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયા. ત્યાર બાદ આદિવાસી નેતા અને પ્રખર કોંગ્રેસી અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ પણ કેસરિયો ધારણ કર્યો. ત્યારે હવે આજે કોંગ્રેસના વધુ બે નેતાઓ કે જેમાં હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે પણ C.R પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી લીધા છે.