કશ્મીરની સ્થિતિ અંગે ફરી એકવાર કોંગ્રેસના નેતા સૈફુદ્દીનનું નિવેદન સામે આવ્યું છે. સૈફુદ્દીને કહ્યું છે કે AFSPAનો સેના દ્વારા દુરુપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સૈફુદ્દીન સોઝે ગુલામ નબી આઝાદનના નિવેદનને પણ સમર્થન આપ્યું હતું.
સૈફુદ્દીન સોઝે જણાવ્યું હતું કે કશ્મીરમાં આતંકીઓ કરતા સામાન્ય નાગરીકો મોટી સંખ્યામાં મરે છે. આટલું જ નહી ઇતિહાસ યાદ કરતા સૈફુદ્દીને કહ્યું કે સરદાર પટેલે હૈદરાબાદના બદલે કશ્મીર આપવાની વાત કરી હતી.
આ ઉપરાંત સૈફુદ્દીન સોઝે જણાવ્યું કે સરદાર પટેલે હૈદરાબાદના બદલે કશ્મીર આપવાની વાત કરી પરંતુ નહેરુના કારણે કશ્મીર ભારત પાસે રહ્યું. આ સાથે જ તેમણે મુશર્રફની નીતિનો ઉલ્લેખ કરીને કશ્મીરને અલગ દેશ બનાવી દેવાની પણ સલાહ આપી.