ગુજરાતનું શિક્ષણ વિભાગ કઈ દિશામાં જઈ રહ્યું છે. તે કહેવું અને સમજવું ખુબ જ મુશ્કેલ છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. શિક્ષણ બોર્ડે પોતાના જ કેલેન્ડરની વિપરીત પરીક્ષાનું ટાઈમ ટેબલ ગોઠવી નાખ્યું છે.
જાહેર રજાના દિવસે પણ પરીક્ષા ગોઠવી નાખી છે. ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 22 માર્ચના રોજ નક્કી કરી છે. તો 22 માર્ચે સ્કૂલ કેલેન્ડરમાં ધૂળેટીની રજા જાહેર કરાઈ છે.
ધો-12 સામાન્ય પ્રવાહના ઈતિહાસ અને તત્વજ્ઞાનની પરીક્ષા એક જ દિવસે નક્કી કરવામાં આવતા વિદ્યાર્થીઓ હવે અવઢવમાં મુકાયા છે અને પરીક્ષા બોર્ડ હવે કોઈ નવો સુધારો પરીક્ષાના ટાઈમ ટેબલને લઈ કરે તેની રાહ જોઈ રહ્યા છે.