કેન્સરની બીમારીથી વિશ્વભરમાં લાખો લોકો પીડાય છે અને ઘણા મૃત્યુ પણ થાય છે. કેન્સર એક એવો રોગ છે જેનો કાયમી ઇલાજ નથી હોતો.
કેન્સરની બીમારીથી વિશ્વભરમાં લાખો લોકોના મોત
આલ્કોહોલના લીધે મુખ્યત્વે કેન્સરનું જોખમ વધુ
વિશ્વમાં દર વર્ષે દારૂનું વેચાણ વધતું જાય છે
કેન્સરની બીમારીથી વિશ્વભરમાં લાખો લોકો પીડાય છે અને ઘણા મૃત્યુ પણ થાય છે. ઘણી યુનિવર્સીટીઓ અને વૈજ્ઞાનિકો આ રોગના સંસોધનમાં ઘણા વર્ષોથી જોડાયેલા રહે છે. કેન્સર એક એવો રોગ છે જેનો કાયમી ઇલાજ નથી હોતો. આ જીવલેણ બીમારીના કારણે શરીરના કોષો નષ્ટ થવા લાગે છે અને પછી ધીરે ધીરે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. જો સમયસર આ રોગની ખબર પડી જાય તો કેન્સરની સારવાર થઈ શકે છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ અનુસાર કેટલીક એવી બાબતો છે જે કેન્સરનું જોખમ વધારી શકે છે. જો આ વસ્તુઓ બંધ કરવામાં આવે તો કેન્સરનું જોખમ ઘટી શકે છે.
કેન્સરનું જોખમ
તળેલો ખોરાક, વધુ પડતો રાંધેલો ખોરાક, સુગરયુક્ત અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોસેસ્ડ મીટ ઉપરાંત એક એવું પીણું છે જે પીવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી માત્ર કેન્સરના કોષોને વધારવામાં જ મદદ નથી કરતી, પરંતુ એક ડ્રિન્કને કારણે કેન્સરનું જોખમ પણ વધી જાય છે. યુકેમાં આ ડ્રીંકને કેન્સરને પ્રોત્સાહન આપવા માટે માનવામાં આવે છે.
આ ડ્રીંક કેન્સરનું જોખમ વધારે છે
રીપોર્ટ અનુસાર, જે ડ્રીન્કસ કેન્સરના કોષોને વધારે છે તે 'આલ્કોહોલ' છે. જાણકારી અનુસાર કેન્સર રિસર્ચ યુકેનું કહેવું છે કે વધારે પડતો દારૂ પીવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. યૂકેમાં પણ આ ડ્રિંકના કારણે કેન્સરનું જોખમ ખાસ્સું વધી ગયું છે, તેથી ત્યાંના લોકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ દારૂનું ઓછું સેવન કરે અને લિમિટ કરતા વધારે દારૂ પીનારા લોકોની સંખ્યા ઓછી થાય.
ભારતના આંકડાઓ
સ્ટેટિસ્ટા રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ચ 2022 માં પ્રકાશિત સંશોધન અનુસાર, 2020 માં ભારતમાં દારૂનું સેવન લગભગ પાંચ બિલીયન લિટર હતું અને 2024 સુધીમાં આ આંકડો લગભગ 6.21 બિલીયન લિટર સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતના દારૂની માર્કેટમાં બે મુખ્ય પ્રકારના દારૂ સામેલ છે, ભારતમાં બનેલ દેશી દારૂ અને ભારતમાં બનેલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે જેમ કે: બિયર, વાઇન વગેરે. આ રિસર્ચમાં એવી માહિતી સામે આવી છે કે દેશી દારૂનું માર્કેટ ભારતમાં સૌથી વધુ હતું.
ભારતમાં સગીરવય જૂથ વધુ વ્યસન કરે છે
યુનાઇટેડ સ્ટેટ્સ જેવા અન્ય દેશોની તુલનામાં ભારતમાં પુખ્ત વયના લોકો દીઠ સરેરાશ આલ્કોહોલનું સેવન ઘણું ઓછું હતું, પરંતુ ભારતમાં દારૂ પીનારા યુવાનોની સંખ્યા ઘણી વધારે હતી. સંશોધન અનુસાર 25 વર્ષથી ઓછી ઉંમરના 88 ટકાથી વધુ ભારતીયો સગીર વયની હોવા છતાં પણ દારૂ ખરીદે છે અથવા પીવે છે. આ આંકડો દેશભરના કેટલાક રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં આટલો હતો.
આલ્કોહોલ કેન્સરનું કારણ
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, રેડ વાઇન, વ્હાઇટ વાઇન, બિયર અને વાઇન સહિતના તમામ આલ્કોહોલિક પીણાં કેન્સરનું જોખમ વધારે છે. લોકો જેટલું વધારે આલ્કોહોલિક ડ્રિંક્સ પીવે છે, તેટલું કેન્સરનું જોખમ વધારે છે. રીચર્સ અનુસાર સંશોધકો વર્ષોથી જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તાજેતરમાં તેઓ સાચા નિષ્કર્ષ પર પહોંચ્યા છે. ઓક્સફોર્ડ પોપ્યુલેશન હેલ્થ, પેકિંગ યુનિવર્સિટી અને ચાઇનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસ, બેઇજિંગના સંશોધકો દ્વારા ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત સંશોધનના પરિણામો દર્શાવે છે કે આલ્કોહોલ સીધું કેન્સરનું કારણ બને છે.