ગુજરાતમાં કોરોનાના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી છે ત્યારે સુરત મનપા કમિશનરે 3 દર્દીઓમાં વિદેશી સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યા હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે.
સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત
શહેરમાં વિદેશી સ્ટ્રેઇનના 3 દર્દીઓ મળ્યા
સુરત મનપા કમિશનરે ટ્વીટ કરી આપી માહિતી
ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સુરતમાં વધુ 3 લોકોમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનમળી આવ્યા છે. જેમાં 2 દર્દીઓ યુ.કે. સ્ટ્રેન અને 1 દર્દી આફ્રિકન સ્ટ્રેનના લક્ષણો ધરાવે છે.
નાગરિકોને કરી અપીલ
આ સાથે જ મનપાના કમિશનરે નાગરિકોને કોઇપણ સંજોગોમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને ટોળામાં ફરવા કે જાહેર મેળાવડાઓમાં નહીં જવા માટે અપીલ કરી હતી. સાથે જ સુરતીઓને સાવચેત રહેવા પણ જણાવ્યું હતું.
In Surat City, we have found three more patients with variant strain(2 UK strain B 1.1.7/1 South Africa B 1.1.351) I appeal all to use mask without fail and adopt all precautions including avoiding crowded places.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 581 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 453 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી અમદાવાદ તથા વડોદરામાં કોરોનાને કારણે 1-1 વ્યક્તિનં મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,66,766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4418 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 3338 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.17 ટકા થયો છે.
સુરતમાં સ્થિતિ ચિંતાજનક
ડાયમંડ નગરી ગણાતા સુરતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં સુરત શહેરમાં 127 કેસ, ગ્રામ્યમાં 20 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા પરંતુ, જિલ્લાઓમાં કેસ વધ્યા!
કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. જોકે વડોદરા સિવાયના મહાનગરોમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસ વધ્યા છે. અમદાવાદ શહેરમાં 123 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 127 કેસ, ગ્રામ્યમાં 20, વડોદરા શહેરમાં 81 કેસ, જ્યારે ગ્રામ્યમાં 12, રાજકોટ શહેરમાં 48 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.
16,53,705 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 16,53,705 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 3,85,709 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા જ શહેરોમાં કોરોનાના કેસ વધ્યા
ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પહેલા જ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હતો. જોકે નેતાઓની સભામાં અને પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો, ભીડ ભેગી કરી અને હવે શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
કોરોનાની નવી પેટર્નને લઈ ડૉ.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા
ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડૉ.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી.