યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવને પગલે ભારતીય નાગરિકોને પોતાના દેશ પરત જવા કહેવામાં આવ્યુ છે. જેને પગલે વધુ એક ફ્લાઇટ 182 ભારતીય નાગરિકો સહિત વિદ્યાર્થીઓને લઇને દિલ્હી લેન્ડ થઇ છે. યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સની એક સ્પેશિયલ ફ્લાઇટ સવારે 7.45 કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઇ તેમ ભારતમાં યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એક અધિકારીએ જણાવ્યું.
यूक्रेन इंटरनेशनल एयरलाइंस (यूआईए) की एक स्पेशल फ्लाइट छात्रों सहित 182 भारतीय नागरिकों के साथ आज सुबह 7:45 बजे कीव से दिल्ली हवाई अड्डे पर लैंड हुई: भारत में यूक्रेन इंटरनेशनल एयरलाइंस के एक अधिकारी pic.twitter.com/fcjaVAIuzw
મંગળવારે એર ઇન્ડિયાના AI1946 વિમાને ઉડાન ભરી હતી. મળતી માહિતી અનુસાર, આ વિમાન દિલ્હી રાત્રે અંદાજિત 11:45 વાગ્યે પહોંચ્યું હતું જેમાં યૂક્રેનમાં રહેતા 242 ભારતીયોને લવાયા હતા.
Ukraine restricts flights of civil aircraft within the country. NOTAM (Notice to Air Missions) issued. Air India’s second special flight AI- 1947 left for Ukraine’s Boryspil airport today in the morning. pic.twitter.com/DvkNvmhrRe
જણાવી દઇએ કે વિમાનથી ભારત પહોંચનારા લોકોને રિસીવ કરવા માટે તેમના પરિવારજનો પહેલાથી જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું યૂક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છું. ભારત પહોંચીને રાહત અનુભવી રહ્યો છું, પરિવારવાળા પણ ચિંતામાં હતા પરંતુ હવે તેઓ ખુશ છે.
જણાવી દઇએ કે, 24 અને 26 ફેબ્રુઆરીએ પણ એર ઇન્ડિયાના વિમાન યૂક્રેનમાં ફંસાયેલા લોકોને કાઢવા માટે ઉડાન ભરશે. એર ઇન્ડિયાએ આ પહેલા યૂક્રેન માટે કોઇ ફ્લાઇટ નહોતી ચલાવી, પરંતુ સંકટમાં ઘેરાયેલા ભારતીઓને બચાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટો ત્યાં જશે અને ભારતીયોને પરત લાવશે. એર ઇન્ડિયા તરફથી જણાવાયું હતું કે શનિવારે ભારતથી યૂક્રેન માટે 256 સીટોવાળી બોઇંગ 787 ડ્રીમ લાઇનર ઉડાન ભરશે. યૂક્રેનથી ભારત આવનારા નાગરિકો એર ઇન્ડિયાની બુકિંગ ઑફિસો, વેબસાઇટ્સ, કૉલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી બુકિંગ શરૂ કરી શકે છે.