વાંકાનેર મહારાજા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાકેન્દ્ર ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી રહી ચુક્યા છે હાલ તેમની ઉંમર વર્ષ હતી. ગઈકાલે મોડી રાત ટૂંકી બીમારીથી અવસાન થયું છે.
વાંકાનેરના રાજવી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાની અંતિમ યાત્રા
વાંકાનેરમાં મહારાજા દિગ્વિજસિંહ ઝાલાનું ગત મોડી રાતે ટૂંકી બીમારી બાદ નિધન થયુ છે. આજે વાંકાનેરમાં મહારાજા દિગ્વિજસિંહ ઝાલાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં રાજવી પરિવારો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મોરબી જિલ્લાનું વાંકાનેર મચ્છુ કાંઠે વસેલું છે. ત્યારે ત્યાના રાજવી વંશજ મહારાજા દિગ્વિજસિંહ ઝાલાનાં પિતા પ્રતાપસિંહ ઝાલા ખુબ હતા જેમનું 2006માં નિધન થયુ હતુ. ત્યાર બાદ દિગ્વિજસિંહ વાંકાનેરનાં મહારાજા બન્યા હતા.
રાજકિય કારકિર્દી
દિગ્વિજયસિંહ ઝાલા રાજકીય કારકિર્દી જોઈએ તો તેઓ 1962થી 67 અને 1967થી 1972 સુધી બે ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા જ્યારે 1980-84 અને 1984થી 89 સુધી તે સુરેન્દ્રનગર જિલ્લાના સાસંદ તીરેક રહ્યા હતા. દિગ્વિજયસિંહ ઝાલા કેન્દ્રમાં પ્રથમ પર્યાવરણ મંત્રી બન્યા હતા. દિગ્વિજયસિંહ ઝાલાના પુત્ર યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા હાલ ભાજપમાં સક્રિય છે.
પરિવાર
રાજમાતા રમાકુમારીબા તેઓના નાના ભાઈ રણજીતસિંહ પણ રાજકિય કારકિર્દી અને દિલ્હીમાં ઘણી વગ ધરાવતા હતા. દિગ્વિજયસિંહ ઝાલાના ત્રણ બહેનોમાંથી પદમીનીબા ભુજ , નીલમબા ભાવનગર , મોહિનીબા બીજાવાર, મધ્ય પ્રદેશ છે જ્યારે દિગ્વિજયસિંહ ઝાલાનું મોસાળ ડુંગરપુર રાજસ્થાન હતું.
વાંકાનેરનો રણજિત પેલેસ
દિગ્વિજયસિંહ ઝાલાનો રણજિત વિલાસ પેલેસની ભવ્યતાને કારણે ઘણી ગુજરાતી ફિલ્મોના શુટીંગ અહીં થયા છે.