Daily Dose / મોરબી દુર્ઘટના : FSL રિપોર્ટમાં થયો ખુલાસો, આ કારણથી તૂટયો હતો પુલ | Daily Dose

મોરબીમાં 135 નિર્દોષ લોકોને મોતના ખપ્પરમાં હોમનાર ઝૂલતા પુલની દુર્ઘટના આખા વિશ્વમાં ગાજી હતી. ત્યારબાદ આ મામલે મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં મોટા ધડાકા થયા છે. જેમાં આ બ્રિજનું સંચાલન કરતી કંપની સકંજામાં આવી છે. જેમાં ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હોવાનું ઉપરાંત સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હોવાનું તેમજ આ દુર્ઘટનાના દિવસે એટલે કે 30 ઓક્ટોબરે 3165 ટિકિટ આપી હોવાનાનું પણ ખૂલ્યું છે. જાણો FSL રિપોર્ટના તમામ પાસા Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ