અત્યાર સુધીમાં વિશ્વભરના 30થી વધુ દેશોએ શોક પ્રગટ કર્યો, USના રાષ્ટ્રપતિ બાયડન, કેનેડા, નેપાળ, ઈઝરાયલના વડાપ્રધાને વ્યક્ત કરી સંવેદના
મોરબીના દુ:ખમાં દુખી થયું આખું વિશ્વ
USના રાષ્ટ્રપતિ બાયડને વ્યક્ત કરી સંવેદના
કેનેડા, નેપાળ, ઈઝરાયલના વડાપ્રધાને વ્યક્ત કરી સંવેદના
અત્યાર સુધીમાં વિશ્વભરના 30થી વધુ દેશોએ શોક પ્રગટ કર્યો
મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બાદ ગુજરાતના દુ:ખમાં આખું વિશ્વ દુખી થયું છે. જેને લઈ USના રાષ્ટ્રપતિ બાયડન, કેનેડા, નેપાળ, ઈઝરાયલના વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં વિશ્વભરના 30થી વધુ દેશોએ શોક પ્રગટ કર્યો છે. આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુજરાતના મોરબી શહેરમાં થયેલ પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે.
મોરબી દુર્ઘટનાને લઈ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ મોરબી ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએન દેઉબાએ કહ્યું કે, ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાથી મને બહુ દુઃખ થયું છે. તેમજ આ ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને પ્રભુ આધાત સહન કરવાની શક્તિ આપે.
રશિયાના રાષ્ટ્રપતિએ શું કહ્યું ?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે સોમવારે ક્રેમલિન વેબસાઈટ પર સંદેશ પ્રસારીત કર્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને કહ્યું હતું કે માનનીય રાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રી, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં થયેલ પુલ દુર્ઘટનાની ઘટનાને લઈને મારી સંવેદના સ્વીકારો.
રશિયાની એક સમાચાર એજન્સીએ જણાવ્યા મુજબ, પુતિનને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે તેમને સ્નેહીજનો અને મિત્રો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમજ જે લોકો ઘાયલ છે તે તમામ લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે પણ આ ધટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ગત રોજ મોરબીનાં ભયંકર દુર્ઘટના બની હતી. મૃત્યું પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. તેમજ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થને કરુ છું.