મોરબી જિલ્લાના હળવદના દીધડીયા ગામે કરુણાંતિકા સર્જાઈ હતી.
મોરબીના દીધડીયા ગામે દીવાલ પડતા 3 વ્યક્તિના મૃત્યુ
દિવાલ પડતા 2 સગાભાઈ અને ભત્રીજાનું મૃત્યુ
ખાલી પ્લોટમાં સાફ સફાઈ કરતા દીવાલ પડી
ખાલી પ્લોટમાં સાફ સફાઈ ચાલી રહી હતી ત્યારે અચાનક દિવાલ ધરાશાઈ થઈ હતી. દિવાલ ધરાશાઈ થતાં દિવાલ નીચે આવી જતાં ત્રણ લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.
રાત્રે માતાજીનો માંડવો હોવાને કારણે કરાતી હતી સાફ સફાઈ
રાત્રે માતાજીનો માંડવો હોવાને કારણે પ્લોટમાં સાફ સફાઈ કરાતી હતી, ત્યારે અચાનક દિવાલ ધરાશાઈ થઈ હતી. દિવાલ ધરાશાઈ થતાં દિવાલ નીચે આવી જતાં ત્રણ લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.
બે સગા ભાઈ સહિત ભત્રિજાનું મૃત્યુ થતાં અરેરાટી
દીધડીયા ગામે હકાભાઈ તથા વિપુલભાઈ અને તેમનો ભત્રીજો મહેશ કાંજીયા ઘર પાસે આવેલા ખાલી પ્લોટમાં સાફ સફાઈ કરી રહ્યા હતા. આજે રાતે માતાજીનો માંડવો રાખેલ હોવાથી ખાલી પ્લોટમાં સાફસફાઈ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક દિવાલ ધરાશાઈ થઈ હતી. આ દિવાલ નીચે બંને ભાઈ અને ભત્રીજો આવી ગયા હતા અને તેમના મોત નિપજ્યાં હતાં.
ઘરના મોભીના નિધનથી પરિવારનું આક્રંદ
પરિવારમાં રાત્રે માતાજીનો માંડવાના પ્રસંગ હોવાને કારણે પરિવારજનો ઉત્સવનો માહોલ હતો અને વ્યવસ્થા ગોઠવાઈ રહી હતી ત્યારે અચાનક દિવાલ ધરાશાઈ થતાં દિવાલ નીચે પરિવારના ત્રણ લોકો આવી જતાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.