FOLLOW US
પ્રાપ્ત મળતી વિગત અનુસાર મોરબીના માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા 4 લોકોના મોત નિપજ્યાં છે.
એક મળતા અહેવાલ મુજબ ફાટક નજીક ઉભા હતા ત્યારે વાહને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માત વહેલી સવારમાં થયો હતો. જેમાં ચારેય લોકોને કાળ ભેટ્યો હતો.
એક મળતી પ્રાથમિક વિગત અનુસાર આ ચારેય શખ્સો રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
અકસ્માતને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અકસ્માતમાં મૃત્યું પામનારાના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયાં છે.